1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈડરના દાવડમાં મળેલી પ્રાચીન મૂર્તિઓની માલિકી અંગે સરકારનું જાહેરનામું, જૈન સમાજે કર્યો દાવો
ઈડરના દાવડમાં મળેલી પ્રાચીન મૂર્તિઓની માલિકી અંગે સરકારનું જાહેરનામું, જૈન સમાજે કર્યો દાવો

ઈડરના દાવડમાં મળેલી પ્રાચીન મૂર્તિઓની માલિકી અંગે સરકારનું જાહેરનામું, જૈન સમાજે કર્યો દાવો

0
Social Share

હિંમતનગર : ઉત્તર ગુજરાતમાં વડનગર સહિત અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તીઓ સહિત અવશેષો મળી આવતા હોય છે. ઈડર નજીક આવેલા દાવડમાં બે વર્ષ પહેલા ખંડિત થયેલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. તત્કાલિન સમયે સરકાર અને પુરાતત્વ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને મુર્તિઓને મહાજનના એક હોલમાં મુકીને તેને સીલ મારી દેવામાં આવ્યું હતું. ઘણા સમયથી જૈન સમાજ દ્વારા મૂર્તિઓ તેમને સોંપી દેવાની માગણી કરવામાં આવી રહી છે આખરે સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જૈન સમાજે મૂર્તિઓ પોતાને સોંપવાનો દાવો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈડરના દાવડમાં બે વર્ષ અગાઉ મળી આવેલી પ્રાચીન ખંડિત મૂર્તિઓને માટે હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને દાવો કરવા માટે જાહેરનામું બહાર પડાયું છે. ત્યારે ગામના જૈન સમાજે પણ આ મૂર્તિઓ માટે દાવો કર્યો છે. સાબરકાંઠાના ઇડર તાલુકાનું દાવડ ગામએ 5 હજાર વસ્તી ધરાવતું પૌરાણિક ગામ છે. લોકવાયકા મુજબ અતિ પ્રાચીન સમયમાં જુનો વિશાળકાય એક દયાવડ હતો, જેને કારણે ગામનું દાવડ નામ પડ્યું. આ ગામનો ઉલ્લેખ 10 મી સદીમાં પણ જોવા મળે છે. 11 મી સદીમાં ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવાયેલ અંકોલ માતાની વાવ આજે પણ હયાત છે. પરંતુ આજે પણ એની હાલત ખંડેર જેવી છે. પુરાત્તવખાતાએ વાવ પાસે માહિતીનું બોર્ડ લગાવ્યું છે. જ્યાં સોલકીયુગની હોવાનું જણાવાયું છે. વાવ પાસે આરામ કક્ષ પણ છે. તો પાસે એક વડ પણ છે. આ તમામ જોવાલાયક સ્થળો છે. પરંતુ આખુ ગામ ગંદકીથી ખદબદે છે. પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયુ હતુ, પરંતુ કામ અધૂરું જ મૂકાયુ છે. પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. હવે તેની જાળવણી પણ થાય તેવી ગ્રામજનોની માંગ છે. આમ ગામમાંથી ખોદકામ દરમિયાન મળી આવેલી પ્રતિમાઓ પણ દાવો કરનારને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી તેની યોગ્ય જાળવણી થઇ શકે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, ઇડરના પૌરાણિક દાવડ ગામમાં વર્ષ 2020 ના એપ્રિલ માસમાં રાવળવાસમાં મકાન બનાવવા માટે ખોદકામ શરુ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન એક પછી એક હજ્જારો વર્ષ પ્રાચીન જૈન પ્રતિમાઓ મળી આવી હતી. પરંતુ તે ખંડિત હતી. ખોદકામ પૂર્ણ થયા દરમિયાન કુલ 48 જેટલી ખંડિત પૌરાણિક મુર્તિઓ મળી આવી હતી. જે અંગે તે સમયે તંત્ર અને પુરાત્તવ ખાતું આવી પહોચ્યું હતું અને તમામ પ્રાચીન ખંડિત જૈન મૂર્તિઓ ગામના બહાર આવેલ મજુર મહાજન હોલમાં મુકીને સીલ કરી દેવાયું હતું. હજુ સુધી પ્રાચીન ખંડિત પ્રતિમાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી. મૂર્તિઓ મજુર હોલમાં ધૂળ ખાઈ રહી છે. જેને લઇને હવે તે મૂર્તિઓનો માલિકી હક આપવાને લઇને તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. આ માટે મૂર્તિની માલિકી માટે દાવો કરવા માટે નાયબ કલેક્ટર દ્વારા અરજીઓ મંગાવી છે. જેના માટે ગામના જૈન સમાજના લોકોએ પણ દાવો રજુ કર્યો છે.

દાવડ ગામ અને આસપાસનો વિસ્તારમાં પૌરાણિક સ્થળો આવેલા છે. જેને લઈને ગ્રામજનોને ગૌરવ છે. પરતું પુરાત્તત્વ વિભાગ દ્વારા પ્રાચીન સ્થળો પ્રત્યેની બેદરકારીએ ખંડેર જેવી હાલત કરી દીધી છે. ત્યારે હવે મળી આવેલ પ્રતિમાઓની યોગ્ય જાળવણી થાય માટે તંત્રએ જાહેરનામુ બહાર પાડી દાવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code