1. Home
  2. ગુજરાતી
  3. ભારત સરકાર કોરોનાને લઈને એલર્ટ, રાજ્યને પણ સતર્ક રહેવાના આદેશ
ભારત સરકાર કોરોનાને લઈને એલર્ટ, રાજ્યને પણ સતર્ક રહેવાના આદેશ

ભારત સરકાર કોરોનાને લઈને એલર્ટ, રાજ્યને પણ સતર્ક રહેવાના આદેશ

0
Social Share
  • કોરોનાને લઈને ભારત સરકાર સતર્ક
  • ચીન સહીત 6 દેશોમાંથી આવતા લોકોનો રિપોર્ટ કોરોના નેગેટિવ હોવો જરુરી

દિલ્હીઃ- ચીનમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ભારક સરકાર પણ હવે સતર્ક બની છએ જેના ભાગ રુપે 1 લી જાન્યુઆરીથી  ચીન અને અન્ય પાંચ દેશોમાંથી ભારત આવતા યાત્રીઓએ તેમના આગમન પહેલાં નકારાત્મક કોવિડ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે. આ સાથે જ ભારત સરકારે દરેક રાજ્યોને પણ એલર્ટ કર્યા છે.ભારતે એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે શનિવારથી દરેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા બે ટકા મુસાફરો માટે રેન્ડમ કોરોનાવાયરસ પરીક્ષણ પણ ફરજિયાત બનાવ્યું છે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે આ 6 દેશોમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરોએ તેમના પ્રસ્થાન પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમના અહેવાલો અપલોડ કરવાના રહેશે.નેગેટિવ રિપોર્ટ હશે તો જ તેઓને પ્રવેશ આપવામાં આવશે.

“1લી જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા ફ્લાયર્સ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરી પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમના અહેવાલો અપલોડ કરવાના રહેશે.ઉલ્લેખનીય છે કે ચીન અને કેટલાક અન્ય દેશોમાં કોવિડના કેસોમાં વધારો વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે વધારો નવા કોરોનાવાયરસ પ્રકાર BF.7 ને કારણે આ કેસમાં વધારો નોંધાયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code