Site icon Revoi.in

ગુજરાતઃ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ 3.07 કરોડ લાભાર્થીઓને લાભ અપાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 લાભાર્થીઓને લાભ અપાતા, 99.89 ટકા અરજીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરાયો છે. 23 સેવાથી શરૂ થયેલા સેવાસેતુ કાર્યક્રમમાં હાલમાં સામાન્ય વહીવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, જેવા વિવિધ વિભાગોની કુલ 55 સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.