1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ 35 હજાર હેકટર પિયત વિસ્તારને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવાશે
ગુજરાતઃ 35 હજાર હેકટર પિયત વિસ્તારને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવાશે

ગુજરાતઃ 35 હજાર હેકટર પિયત વિસ્તારને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવાશે

0
Social Share

અમદાવાદઃ ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35,000 હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે પુરતી પાણી મળી રહેશે.

ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ નહીં ,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 111ગામોના અંદાજે 35,000 હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે 111 ગામોના 6,000 થી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારિત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code