
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ચૂંટણીપંચ ઉપર કર્યાં આક્ષેપ
અમદાવાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતુ. દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદનાં નરોડા ખાતે મતદાન કર્યું હતું. જે બાદ જગદીશ ઠાકોર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, મતદાન થવું જ જોઇએ. મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને મનગમતી પાર્ટીને પસંદ કરી શકે છે. આ સાથે તેમણે અનેક પ્રહાર કરતા જણાવ્યુ કે, મતદાર સારું થઇ રહ્યું છે પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઇએ. કોંગ્રેસનાં બૂથો છે ત્યાં મશીન ધીમા ચાલે, મતદાનની સ્પીડ ધીમી ચાલે. બીજાના બૂથો છે ત્યાં મશીન બરાબર ચાલે. આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.