
ગુજરાત ચૂંટણી 2022: ગીર જંગલ વિસ્તારના મતદારો માટે સાત મતદાન મથકો ઉભા કરાયાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કા માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન ગીરના જંગલ વિસ્તારમાં એક મતદાતા માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર જંગલ વિસ્તારના આદિવાસી મતદારો માટે વધુ સાત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં, ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન કેન્દ્રોને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને વધારે પ્રમાણમાં મતદન કરવા માટે પ્રરેણા આપવામાં આવી રહી છે.
ચૂંટણી પંચ દ્વારા અવસર લોકશાહીનો નામનું કેમ્પેન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યના જાણીતી હસ્તીઓ દ્વારા વધારેમાં વધારે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પોતાની જવાદારીના ભાગ રુપે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં મતદાન મથકો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મતદાતા માટે મતદાન મથક બનાવાવમાં આવ્યું છે.
ગુજરાતમાં, ચૂંટણી પંચે સોમનાથ જિલ્લાના ગીરના જંગલોમાં એક માત્ર મતદાર માટે મતદાન મથક બનાવ્યું છે. ગાઢ જંગલોમાં આવેલા બાણેશ્વર મહાદેવ મંદિરના મહંત હરિદાસ ઉદાસીન માટે આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર જંગલ વિસ્તારના આદિવાસી મતદારો માટે વધુ સાત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.