1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નોકરિયાત વર્ગને થશે આર્થિક રીતે ફાયદો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નોકરિયાત વર્ગને થશે આર્થિક રીતે ફાયદો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નોકરિયાત વર્ગને થશે આર્થિક રીતે ફાયદો

0
Social Share
  • ગુજરાત સરકારનો મોટો નિર્ણય
  • નોકરિયાત વર્ગને થશે આર્થિક રીતે ફાયદો
  • કર્મચારી-પેન્શનરોના હિતમાં લીધો નિર્ણય

અમદાવાદ:ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે પેન્શનરો તથા કર્મચારીઓને આર્થિક રીતે ફાયદો થશે. સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારી ભથ્થના બાકી એરિયસનો લાભ આપવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં તેઓને 5 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવશે.

રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થના બાકી એરિયસનો લાભ આપવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જૂલાઇ 2019થી પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. 1-07 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના ૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પેન્શનરોને ૧ જુલાઇ ૨૦૧૯થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે.

તારીખ ૧ જુલાઇ ૨૦૧૯થી તા ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી એમ કુલ ૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code