‘0’ રુપિયાની નોટનો ઈતિહાસ – ક્યારેય નહી જોઈ હોય તમે જીરોની નોટ, જાણો ક્યા અને ક્યારે છપાઈ હતી
- જીરોની નોટ પણ છે શું તમે જોઈ છે
- ભ્રષ્ટાચારી લોકો માટે જીરોની નોટ તમાચા સમાન
આપણે રોજીંદા જીવનમાં રુપિયાનો ઉપયોગ કરતા આવ્યા છે, જી હા રુપિયા એટલે કે 100ની નોટ, 500ની નોટ કે પછી 2 હજારની નોટ આ તમામ નોટ આપણે વટાવતા હોઈએ છીએ, પણ આજે વાત કરીશું જીરોની નોટ ની જી હા. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે જ કે જીરોની તો કંઈ નોટ હોતી હશે વળી, પણ આની પણ એક સરસ કહાનિ છે.
જી હા ઝીરોની નોટ પણ ક્યારેક અસ્તિત્વમાં આવી હતી આ ઝીરો રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા અગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને તે બિલકુલ બીજી નોટોની જેમ જ દેખાઈ પણ છે.
હવે દરેકના મનમાં એક સવાલ થશે કે જીરોની નોટ શા માટે છાપવામાં આવી હશે અને તેનું મૂલ્ય તો શું હશે. જીરો જ ને…આ સાથે જ વળી આ નોટથી શું ખરીદી શકાય છે. તો તમારા સવાલ વ્યાજબી છે ,તો તેનો જવાબ છે કે આ નોટ આરબીઆઈ થકી જારી કરવામાં નથી આવી, વાત જાણે એમ છે કે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ રુપે આ નોટ જારી કરાઈ છે.લાંચ લેતા લોકોના મૂહ પર આ નોટ એક તમાચો સાબિત થાય છે.
નોટ એક સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર સામેના હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી હતી. આ વિચાર વર્ષ 2007માં દક્ષિણ ભારતમાં એક બિન-લાભકારી સંસ્થાનો હતો. તમિલનાડુ સ્થિત 5th Pillar નામની આ NGOએ લગભગ પાંચ લાખ રૂપિયાની ઝીરો નોટ છાપવાનું કામ કર્યું હતું. જેને હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં છાપીને લોકોને આપવામાં આવી હતી.
જીરોની આ નોટની ખાસિયતો જાણો
- જીરોની નોટમાં અનેક ખાસ મેસેજ લખવામાં આવ્યા હતા
- , જેમાં ‘ભ્રષ્ટાચારનો અંત કરો’, ‘કોઈ લાંચ માંગે તો આ નોટ આપીને અમને મામલો જણાવો’,
- આ સાથે જ શૂન્ય રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ જોવા મળે છે
- આ સાથે જ ખાસ વાત એ છે કે આ નોટની નીચે જમણી બાજુએ સંસ્થાનો ફોન નંબર અને ઈમેલ આઈડી છપાયેલ છે.
- ‘5મો પિલર’ નામની સંસ્થા જ ઝીરો રૂપિયાની નોટ બનાવતી હતી
- નોટનો ઉપયોગ લાંચ માંગનારાને આપવા માટે થતો હતો
- ખાસ આ નોટ ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનનું પ્રતિક હતું. આ