
ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા
- સવાર-સવારમાં સારા સમાચાર
- ગૃહમંત્રી અમિત શાહે કર્યું એલાન
- અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા
દિલ્હી:કેન્દ્ર સરકાર વતી ભારતીય સેનાના ત્રણ અંગો થલ સેના, નોસેના અને વાયુસેનામાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ નામની યોજનાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે,નવી યોજના હેઠળ અગ્નિવીરોને CAPFs અને આસામ રાઈફલ્સમાં ભરતીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી ભરતી પ્રક્રિયા હેઠળ કામ શરૂ કરવાની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘અગ્નિપથ યોજના’ એ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પીએમ નરેન્દ્ર મોદીનો દૂરંદેશી અને આવકારદાયક નિર્ણય છે.આ સંદર્ભમાં આજે ગૃહ મંત્રાલયે CAPFs અને આસામ રાઈફલ્સમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને ભરતીમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
‘अग्निपथ योजना’ युवाओं के उज्ज्वल भविष्य के लिए @narendramodi जी का एक दूरदर्शी व स्वागत योग्य निर्णय है।
इसी संदर्भ में आज गृह मंत्रालय ने इस योजना में 4 साल पूरा करने वाले अग्निवीरों को CAPFs और असम राइफल्स में भर्ती में प्राथमिकता देने का निर्णय लिया है।#BharatKeAgniveer
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 15, 2022
ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી ‘અગ્નિપથ યોજના’ દ્વારા પ્રશિક્ષિત યુવાનો દેશની સેવા અને સુરક્ષામાં પણ યોગદાન આપી શકશે.આ નિર્ણય અંગે વિગતવાર યોજના બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
प्रधानमंत्री @narendramodi जी के मार्गदर्शन में गृह मंत्रालय के इस निर्णय से ‘अग्निपथ योजना’ से प्रशिक्षित युवा आगे भी देश की सेवा और सुरक्षा में अपना योगदान दे पायेंगे। इस निर्णय पर विस्तृत योजना बनाने का काम शुरू हो गया है।#BharatKeAgniveer
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 15, 2022