1. Home
  2. ગુજરાતી
  3. આજરોજ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ નિમિત્તે ગૃહમંત્રી શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
આજરોજ  શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ નિમિત્તે ગૃહમંત્રી શાહે  દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજરોજ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ નિમિત્તે ગૃહમંત્રી શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

0
Social Share

દિલ્હીઃ- આજરોજ   શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ છે આ દિવસ નિમિત્તે ગૃહમંત્રી શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના અવસર પર તેમની શુભેચ્છાઓ વિસ્તરતા કહ્યું, “આ ઉપદેશો હંમેશા અમને પ્રોત્સાહિત કરશે અને શાંતિ અને સંવાદિતાના મૂળભૂત સિદ્ધાંતો વધુ સારા સમાજ તરફ માર્ગદર્શન આપશે.

વઘુમાં ગૃહમંત્રી શાહે કહ્યું કે “ શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ. શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી વિશ્વને માનવતા પ્રત્યે સંવાદિતા અને સમર્પણ વિશે શીખવે છે. આ ઉપદેશો હંમેશા શાંતિ અને સંવાદિતાના મૂળભૂત સિદ્ધાંતોને પ્રોત્સાહિત કરીને અમને વધુ સારા સમાજ તરફ દોરી જશે.

ઉલ્લેખનીય છે કે પ્રકાશ પર્વ ગુરુ ગ્રંથ સાહિબના સન્માન અને સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. આ દિવસે, વિશ્વભરના શીખો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને ગુરુ ગ્રંથ સાહિબના માર્ગ અને ઉપદેશોને અનુસરવાની પ્રતિજ્ઞા લે છે.

 આ સહીત ભારત અને સમગ્ર વિશ્વમાં ગુરુદ્વારા સુંદર રોશની અને શણગારથી ઝળહળી ઉઠે છે. આ સિવાય દરેક ગુરુદ્વારામાં લંગરનું આયોજન કરવામાં આવે છે અને શીખો પણ સામુદાયિક સેવા કરે છે.

વઘુમાં આજના દિવસે કેટલાક સ્થળોએ ‘નગર પ્રભાતફેરી’નું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શીખો ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહથી ભાગ લે છે. પ્રકાશ પર્વ દરમિયાન ગુરુદ્વારામાં અરદાસ અને પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે ગૃહમંત્રી શાહે પણ આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે  કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીનો પ્રકાશ પર્વ ભાદોનની 15મી તારીખે આવે છે, જે પંજાબી કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી વિશ્વના મહાન ગ્રંથોમાં અનન્ય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code