
અઠવાડીયામાં આટલા દિવસ કારેલાનો જ્યૂસ પીવો જોઈએ, જાણો…
કારેલા તમને પસંદ હોય કે ના હોય, પણ આ કડવા સ્વાદ વાળી શાકભાજીને તમારી ડાઈટમાં ઉમેરવાના ઘણા કારણો છે. પોટેશિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથઈ ભરપુર આ શાકભાજી ખાસ કરીને ફઆયદાકારક હોય છે, જ્યારે તમે ડાયાબિટીસ, અસ્થમા, કબજીયાત, ઉધરસ, ગઠિયા, સ્કિનની બીમારી કે કોઈ પણ પ્રકારનો સોજા જેવી કોઈપણ સ્વાસ્થ્ય બીમારીઓથી પીડાવો છો.
ભારતમાં લોકો કારેલાને ઘણી રીતે બનાવે છે. તેને ડુંગળઈ અને બીજા મસાલા સાથે પકવીને કોરૂ શાકના રૂપમાં ખાવામાં આવે છે. અથવા તેમાં તીખો સ્વાદ આપવા માટે તેમા મસાલા અને અથાણું ભરીને ખાવામાં આવે છે.
ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધીના ઘણા ફાયદાઓ માટે ઘણા લોકો કારેલાનો રસ પીવાનું પસંદ કરે છે. આ શાક પ્રાચીન સમયથી તેના ઔષધીય ફાયદા માટે જાણીતું છે. તેમાં ડાયાબિટીક વિરોધી, બળતરા વિરોધી, એન્ટિવાયરસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણો છે.
કારેલાના સ્વાસ્થ્ય લાભ અસંખ્ય છે. તેના ફળો, દાંડી, પાંદડા અને મૂળનો ઉપયોગ હાયપરલિપિડેમિયા, પાચન સમસ્યાઓ, માઇક્રોબાયલ ચેપ અને માસિક સમસ્યાઓની સારવાર માટે થાય છે.
• અઠવાડીયામાં કેટલા દિવસ કારેલાનો જ્યૂસ પીવો
ઘણા બધા ગુણોથી ભરપૂર આ શાકભાજીને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. તેમને પૂછવું પડશે કે અઠવાડિયામાં કેટલા દિવસ આ શાકભાજીનો રસ પીવો જોઈએ. તો ચાલો તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં એકવાર કારેલાનો રસ પૂરતો છે. આનાથી વધુ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.