1. Home
  2. ગુજરાતી
  3. જેલમાં બંધ કેદી મહિનામાં કેટલા પત્રો લખી શકે છે? જાણો શું છે નિયમ
જેલમાં બંધ કેદી મહિનામાં કેટલા પત્રો લખી શકે છે? જાણો શું છે નિયમ

જેલમાં બંધ કેદી મહિનામાં કેટલા પત્રો લખી શકે છે? જાણો શું છે નિયમ

0
Social Share

લીકર પોલીસી ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ રાજીનામું આપ્યું નથી અને હવે તેમની પાર્ટીનું કહેવું છે કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કોઈ જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એક મુખ્યમંત્રી જેલના પત્રો દ્વારા સરકાર સરળતાથી ચલાવી શકે છે? આવો અમે તમને આ લેખમાં જણાવીએ કે જેલમાં એક કેદી એક દિવસમાં કે એક મહિનામાં કેટલા પત્રો લખી શકે છે.

  • કેદી કેટલા પત્રો લખી શકે?

સુત્રોના જણાવ્યા અનુસાર દોષિત કેદીને અઠવાડિયામાં એક પત્ર લખવાની છૂટ છે અને અંડરટ્રાયલ કેદીને અઠવાડિયામાં બે પત્ર લખવાની છૂટ છે.

  • દિલ્હીની જેલ મેન્યુઅલ શું કહે છે?

દિલ્હી જેલ મેન્યુઅલ અનુસાર, અહીં બંધ કેદીને ગમે તેટલા પત્રો લખવાનો અધિકાર છે. જો કે, તેને આ માટે જેલમાંથી ખર્ચ મળશે નહીં. મતલબ કે જેલમાં બંધ કેદી પોતાના ખર્ચે ગમે તેટલા પત્રો લખી શકે છે. પરંતુ પત્ર બહાર મોકલતા પહેલા તે એકવાર તપાસવામાં આવે છે અને જો પત્રમાં લખેલી કોઈ પણ બાબત જેલની સુરક્ષામાં ભંગ સર્જે છે તો કેદીને પત્રનો તે ભાગ ન લખવા જણાવવામાં આવે છે.

  • કેદીઓ જેલમાં કમાણી કેવી રીતે કરે છે?

જેલમાં કેદીઓને તેમના કામ પ્રમાણે પૈસા મળે છે. જો કે, આ પૈસા ચલણમાં નહીં પરંતુ કૂપનમાં ઉપલબ્ધ છે. હવે સવાલ એ થાય છે કે જેલમાં બંધ કેદીઓને કેટલા પૈસા મળે છે? તો  જેલમાં કેદીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કુશળ, અર્ધ કુશળ અને અકુશળ. તે મુજબ કેદીઓને પૈસા અને કામ મળે છે. 2015 ના જેલ ડેટા અનુસાર, દિલ્હીની તિહાર જેલમાં, કુશળ દોષિતો, અર્ધ-કુશળ દોષિતો અને અકુશળ દોષિતોને અનુક્રમે 171 રૂપિયા, 138 રૂપિયા અને 107 રૂપિયા આપવામાં આવતા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code