
કિચનમાં રહેતા તજપત્તા જો સાચી રીતે ઉપયોગમાં લેવાય તો આટલા રોગો થશે દૂર
- તજપત્તાના ઉપયોગથી આરોગ્ય નિરોગી રહે છે
- અનેક બીમારીમાં તેનો થાય છે ઉપયોગ
સામાન્ય રીતે મરી મસાલા આદીકાળથી વપરાતા આવ્યા છે જે માત્ર રસોઈનો સ્વાદ બમણો નથી કરતા પરંતુ દરેક મસાલાના પોતાના સાત્વિક ગુણો પણ રહેલા છે જેના કારણે તે અનેક રોગોમાં ઉપયોગી સાબિત થાય છે. જેમાં આજે તજપત્તા વિશે વાત કરીશું જેના સેવનથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે,તજપત્તા ઘણી બીમારીમાં રાહત આપે છે.
ખાસ કરીને આયુર્વેદમાં પણ આ ઔષધીય પાનના ફાયદા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. જો કે, તમાલપત્રનું વધુ પડતું સેવન તમને થોડું નુકસાન પણ કરી શકે છે.ખાસ કરીને તમાલપત્રમાં ફ્લેવોન્સ, ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ટેનીન, યુજેનોલ, એન્થોકયાનિન જેવા આવશ્યક તત્વો હોય છે.
તજપત્તા ખાવાના સ્વાદને વધારવાનું કામ કરે છે,તમે કાળી ચામાં તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો જેનાથછી ગળાનો દુખાવો મટે છેઆ સાથે જ સારા વાળ માટે પણ તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળો. તેમાં થોડા તમાલપત્ર નાખો. 5-10 મિનિટ ઉકાળ્યા પછી, શેમ્પૂ કર્યા પછી આ પાણીને વાળમાં લગાવો.
તજપત્તા એન્ઝાઈટી કે વ્યગ્રતા ઘટાડવામાં તમાલપત્રનો ધુમાડો મદદરૂપ છે. તે શરીરનો થાક ઓછો કરે છે. તમાલપત્રમાં સિનીયોલ, પિનેને, એલિમિસિન જેવા તત્વો છે. આ તત્વોને જ્યારે બાળવામાં આવે ત્યારે તે ઉર્જા આપે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.