1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે
STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે

STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી)ના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા છે.પણ સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવાતા એસટીના કર્મચારીઓએ માસ સીએલ સહિત લડત આપવાનો નિર્ણય કર્યો છે. આથી  દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, એસ.ટી. નિગમના ત્રણ સંગઠનોએ સરકારને 30 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 30 કલાકમાં નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 20મી ઓક્ટોબરે મધ્યરાત્રીથી જ તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે તે નિર્ણય યથાવત્ રાખવાની જાહેરાત કરી છે. તેની સાથે સાથે આજે અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ટ ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી)ના કર્મચારીઓના ત્રણેય સંગઠનોએ દાવો કર્યો હતો કે, ગઈ કાલે જ્યારે પોતાની માંગને લઈને નાણાંમંત્રીને મળવા ગયા હતાં. ત્યારે નાણાંમંત્રીએ તેમને કહ્યું હતું કે, સરકાર દ્વારા જેટલું આપવામાં આવે છે એટલું લઈ લેવું જોઈએ વધારે માંગવું ના જોઈએ. જેને લઈને નિગમના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી નિગમના 40 હજાર કર્મચારીઓ માસ સીએલ પર જવાની તૈયારી દર્શાવી છે. હાલ વિવિધ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર અંતર્ગત 19 હજાર 950 ચૂકવવામાં આવે છે. એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે.

આ સિવાય લેબર વિભાગ સાથે થયેલા કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે. એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલા કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.હાલ આ ગ્રેડ પે 16,650 અને ડ્રાઈવરને 1800 આપવામાં આવી રહ્યો છે. સાતમા પગાર પંચ મુજબ ડ્રાઈવરને અને કંડકટર 1900 ગ્રેડ પે મળવાની જોગવાઈ છે. સાથે સાથે 900 થી વધારે જેટલા વારસદારો, કે જેઓ 2011 પહેલા અવસાન પામેલ છે, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલ કર્મચારીઓને રોકડ સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.યુનિયનની માંગ છે કે તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવામાં આવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code