1. Home
  2. Tag "Gujarat ST"

ગુજરાત એસટીની ડબલ ડેકર ઈલેક્ટ્રિક AC બસનું મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીથી કર્યું લોન્ચિંગ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે […]

ગુજરાત એસટીના ડ્રાઈવર-કંડકટરની ભરતી માટે 1.55 લાખથી વધુ ઉમેદવોરાએ ફોર્મ ભર્યા

રાજકોટ :  ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર કંડકટરોની કુલ 7600 જેટલી જગ્યાઓ માટે આન લાઈન અરજીઓ માગાવાતા દોઢ લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોએ અરજીઓ કરી છે. એસટીમાં ડ્રાઈવર અને કંડકટરની જગ્યાઓ માટે અરજી કરનારાઓમાં ગામડાંના સૌથી વધુ યુવાનો અને યુવતીઓ છે. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ […]

ગુજરાત એસટીની 40 સ્લીપર અને 111 લકઝરી બસનું મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કર્યુ લોકાર્પણ

ગાંધીનગરઃ  રાજયના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું લોકાર્પણ  આજે ગાંધીનગરથી કરાયું હતું.   મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બે ડ્રાઇવરોને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કરીને રાજ્યની જનતાને વધુ એક ભેટ આપી હતી.. આ ઉપરાંત ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું  હતું. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ […]

ગુજરાતમાં એસટીની બસો પણ હવે કેસરી, સૌરાષ્ટ્રમાં નવી 63 બસનો કલર બદલાયો

રાજકોટઃ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા હવે એસટી બસોને પણ કેસરિયો કલર લગાવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એસટી નિગમ દ્વારા જુદા જુદા ડિવિઝનોને નવી 63 બસો તાજેતરમાં ફાળવવામાં આવી છે. અમરેલીને 14, જૂનાગઢને 13, ભાવનગરને 12 અને જામનગરને 6 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ બસોનો રંગ કેસરી રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ અને […]

ગુજરાત એસટીની અન્ય રાજ્યોમાં જતી તમામ બસોમાં પણ દિવ્યાંગો મફત મુસાફરી કરી શકશે

ગાંધીનગરઃ  રાજ્યના દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે/નિશૂલ્ક મુસાફરી યોજનાઓ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમ પ્રવક્તા મંત્રી  જીતુભાઈ […]

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓની મોટાભાગની માગણીઓ સ્વીકારી લેવાતા આંદોલન સ્થગિત કરાયું

ગાંધીનગરઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગ(એસટી)ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી હતી. આખરે સરકારે એસટી કર્મચારીઓની ઘણીબધી માગણીઓ સ્વીકારી લેતા એસટી કર્મચારીઓનું આંદોલન સ્થગિત કરવામાં આવ્યુ છે. અગાઉ એસ.ટી નિગમના ત્રણ સંગઠનો એટલે કે ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસ.ટી કર્મચારી મહામંડળ, એસ.ટી મજદૂર મહાસંઘે સાથે મળીને પોતાની […]

ગુજરાત એસટીની વોલ્વો અને પ્રીમિયમ બસ સેવા પ્રતિદિન 17 લાખની ખોટ કરે છે

ગાંધીનગરઃ જાહેર પરિવહન સેવાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે એસટી નિગમ દ્વારા 120થી વધુ વોલ્વો અને એસી બસો ભાડે લઈ તેનું સંચાલન કરવામાં આવે છે.  નિગમની સ્થિતિ હાલમાં આ વોલ્વો સહિતની પ્રીમિયમ સર્વિસની બસોને કારણે દાઝ્યા પર ડામ જેવી થઈ છે. પેસેન્જરોને સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે દોડાવાતી નિગમની વોલ્વો બસો સતત ખોટ કરી રહી છે ત્યારે […]

STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી)ના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા છે.પણ સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવાતા એસટીના કર્મચારીઓએ માસ સીએલ સહિત લડત આપવાનો નિર્ણય કર્યો છે. આથી  દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, એસ.ટી. નિગમના ત્રણ સંગઠનોએ સરકારને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code