
- ખાંસીના ઉપચાર તમારા કિચનમાં
- અનેક વસ્તુઓથી મટા઼ી શકાય છે ખાંસી
- હરદળ,મધ,આદુ,લવિંગ અને મરી કારગાર ઈલાજ
સામાન્ય રીતે બદલતી ઋતુની સાથે સાથે દરેકને ખાંસીની ફરીયાદ રહેતી હોય છે ,ઘણી વાર કેટલી મોંધી દવાઓ કરાવવા છતા ખાંસી નટવાનું નામ લેતી નથી, ત્યારે આવા સમયે આપણે આપણા કિચનમાં એક નજર કરવાની જરુર છે, જી હા કિચન એટલે કે ઓષધિય ગુણોથી ભરેલું ઘરનું સાદુ દવાખાનું, જ્યા અનેક રોગોની સારવાર ફ્રીમાં મળી રહે છે, ત્યારે ખાંસીમાં પણ કિચનમાં રહેલી કેટલીક વસ્તુઓ ાપણાને ફાયદો કરાવે છે, તો ચાલો જોઈએ એવા કેટલાક નુસ્ખાઓ જેનાથી જીદ્દીમાં જીદ્દી ખાંસીમાં પણ તમને રાહત મળશે,
ખાસીમાં અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ
- ખાસી થતી હોય ત્યારે કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
- આ સાથે જ કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
ખાસી માટે લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. - ખાંસીમાં લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ખાસી મટે છે.
- ખાંસી થતી હોય ત્યારે મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ખાંસી મટે છે.
- આ સાથે જ મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
- એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
- થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે.
- દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
- લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની સુગંધ લેવાથી મોટી ઉધરસ અને કફ મટે છે.
- આમલીના કિચૂકાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, કિચૂકાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો મટે છે.
હરદળ વાળું દુધ પીવાથી ઉધરસ મટે છે - ગોળ અને સૂંઠની ગોળી બનાવી ભૂખ્યા પેટે સવારે તેનું સેવન કરવાથી પણ ઉધરસ મટે છે
- દેશી ચણાને રાતે પાણીમાં પલાળીને સવારે તવીમામ મીઠૂં નાખી શકે લેવા ત્યાર બાદ તેનું સેવન કરવું તેનાથી ઉધરસ નમટે છે