1. Home
  2. ગુજરાતી
  3. બાપ્પાના ખાસ આશીર્વાદ ઈચ્છતા હોવ તો પૂજામાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો
બાપ્પાના ખાસ આશીર્વાદ ઈચ્છતા હોવ તો પૂજામાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો

બાપ્પાના ખાસ આશીર્વાદ ઈચ્છતા હોવ તો પૂજામાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો

0
Social Share

આપણા હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પૂજન માટે પ્રથમ સ્થાન મળ્યું છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. પૂજા દરમિયાન ગણપતિને ખાસ વસ્તુઓ ચઢાવવામાં આવે છે, જે તેમને ખૂબ જ પ્રિય હોય છે, તો ચાલો જાણીએ તેમના વિશે.

મોદકનો ભોગ

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ભક્તો મોદકનો ભોગ ચઢાવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશને મોદક સૌથી વધુ પ્રિય છે. મોદક એ નારિયેળ અને ઘીના મિશ્રણમાંથી બનેલી મીઠાઈ છે.

સિંદૂર મંગળનું પ્રતીક

લાલ સિંદૂર ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે સિંદૂર એ શુભતાનું પ્રતીક છે અને સ્નાન કર્યા પછી ગણેશને લાલ સિંદૂર ચઢાવવાથી ભક્તો તેમના આશીર્વાદ મેળવે છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

તુલસીની પૂજા ક્યારેય ન કરવી

ભગવાન ગણેશને તુલસીના છોડ સિવાય લગભગ તમામ પ્રકારના ફૂલો અર્પણ કરી શકાય છે. પુરાણોમાં વર્ણન છે કે ભગવાન ગણેશની પૂજા ક્યારેય પણ તુલસીથી ન કરવી જોઈએ.

ભોગમાં કેળા ચઢાવો

ભગવાન ગણેશને કેળા અર્પણ કરવાથી અને તે પ્રસાદનું સ્વયં સેવન કરવાથી રોગો અને દોષ દૂર રહે છે.લંબોદરને કેળા ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે ગણપતિજીને હંમેશા જોડીમાં કેળા ચઢાવવા જોઈએ.

દુર્વા ચઢાવવાની પરંપરા

ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ઘણી જૂની છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધિવિનાયકને દુર્વા ખૂબ જ પ્રિય છે. 3 અથવા 5 પાંદડાવાળી દૂર્વા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણપતિજી દુર્વા ચઢાવવાથી પ્રસન્ન થાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code