1. Home
  2. ગુજરાતી
  3. લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રાખવું હોય તો તુલસી વિવાહ પર કરી લો આ કામ
લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રાખવું હોય તો તુલસી વિવાહ પર કરી લો આ કામ

લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રાખવું હોય તો તુલસી વિવાહ પર કરી લો આ કામ

0
Social Share

ધર્મ શાસ્ત્ર અનુસાર મા તુલસી મહાલક્ષ્મીનો અવતાર છે, જયારે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરુ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, તુલસી વિવાહના દિવસે તુલસીના છોડ અને શાલિગ્રામના લગ્ન કરાવવાની પરંપરા છે. માનવામા આવે છે કે આ દિવસે વિધિપૂર્વક તુલસી વિવાહ સંપન્ન કરાવવાથી લગ્નજીવનમાં ખુશી બનેલી રહે છે. ત્યાં જ આ દિવસે ખાસ ઉપાય કરવાથી વિવાહિત જીવન સાથે જોડાયેલી સમસ્યા ખતમ થઇ જાય છે.

તુલસી વિવાહ દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ હોય છે. વર્ષ 2022માં તુલસી વિવાહની તારીખ 5 નવેમ્બર 2022 છે. એની સાથે જ કારતક માસની દેવ દિવાળીની એકાદશી 4 નવેમ્બર 2022એ છે. તુલસી વિવાહના દિવસે લગ્ન માટે શુભ મુહૂર્ત હોય છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વખતે શુક્ર ગ્રહના અસ્ત થવાના કારણે તુલસી વિવાહના દિવસે લગ્ન માટે શુભ મુહૂર્ત નથી. શાસ્ત્ર અનુસાર, તુલસી વિવાહ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિવાહિત લગ્ન જીવનમાં ખુશી બની રહે છે.

તુલસી વિવાહના દિવસે શુભ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ સૌથી પહેલા તુલસીના કેટલાક પાન તોડીને સ્વચ્છ પાણીમાં રાખો. આ પછી તુલસી વિવાહના દિવસે આખા ઘરમાં તુલસીનું પાણી છાંટવું. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ રહે છે. તેનાથી પતિ-પત્ની વચ્ચેની પરસ્પર વિખવાદ દૂર થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code