
વરસાદની સિઝનમાં તમારા વાળ ચીકણા અને ગૂંચવાયેલા રહે છે, તો આ આયુર્વેદિક હેરમાસ્ક ઘરે બનાવી તેનો કરો ઉપયોગ
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં વાળ ઘોયા બાદ જલ્દી સુકાતા નથી અને વાળ ગૂંચવાયેલા વધુ રહે છે,સાથે ચીકાશ હોવાના કારણે જાણે વાળ ન ઘોયા હોય તેવી જ સ્થિતિમાં જોવા મળે છે. ખાસ કરીને બદલાતા હવામાનની અસર આપણા વાળ પર પણ પડે છે. વરસાદની ઋતુમાં, વાળ વારંવાર ભીના, ચીકણા અને ઝડપથી તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં આર્યુવેદીક હેરમાસ્ક તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
આમળા શિકાકાઈ અને મેથીનો હેરમાસ્ક
આમળા, શિકાકાઈ અને મેથી એ આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે જે વાળ પર સારી અસર કરે છે. આ જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવેલ આયુર્વેદિક હેર માસ્ક વાળની ચીકાશને દૂર કરે છે. અને વાળ ખરતા અટકાવશે. આ આયુર્વેદિક હેર માસ્ક વાળને મજબૂત, કાળા અને જાડા બનાવશે.
આ રીતે આર્યુવેદીક બનાવો હેરમાસ્ક
સામગ્રી – 1 ચમચી શિકાકાઈ પાવડર, 2 ચમચી આમળા પાવડર , 1 ચમચી મેથી પાવડર , દહીં 1-2 ચમચી અને લીંબુ નો રસ
બનાવાની રીતઃ-
- આ માસ્ક બનાવવા માટે આમળા અને શિકાકાઈને રાત્રે એક તપેલીમાં પાણી લઈને પલાળી રાખો. એક ગ્લાસ કરતાં વધુ પાણી ન ઉમેરો
- આ બંને આયુર્વેદીક સામગ્રીને આખી રાત પલાળી દો. સવારે તેમાં બે ચમચી દહીં અને લીંબુનો રસ મિક્સ કરો.
- હવે આ તૈયાર કરેલી પેસ્ટને એક કલાક માટે મિક્સ કરીને આમ જ રહેવા દો.
- એક કલાક પછી તેને વાળમાં લગાવો અને વાળમાં સારી રીતે મસાજ કરો.
- એક કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ
- જડીબુટ્ટીઓ વાળમાં લગાવવાથી વાળની સમસ્યા દૂર થશે.
જાણો આ હેરમાસ્કથી વાળને શું શું ફાયદો થાય છે
પોષક તત્વોથી ભરપૂર, શિકાકાઈ વાળને અંદરથી પોષણ આપે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.જો તમે વાળ ખરવા અને ડેન્ડ્રફથી પરેશાન છો તો વાળમાં શિકાકાઈનો ઉપયોગ કરો. શિકાકાઈ વાળને કુદરતી ચમક આપશે અને વાળને સ્વસ્થ બનાવશે.
વિટામિન સી અને ફેટી એસિડથી ભરપૂર આમળા વાળ ખરવાથી છુટકારો અપાવશે. માસ્કમાં હાજર દહીં ખોપરી ઉપરની ચામડીના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરશે.
વરસાદની મોસમમાં ખોપરી ઉપરની ચામડી પર ખંજવાળ, ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ડેન્ડ્રફથી રાહત આપે છે. ચાલો જાણીએ માસ્ક કેવી રીતે તૈયાર કરવું.