Homeગુજરાતીકેન્દ્રની મહત્વની જાહેરાત, વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરિક્ષા ઘોરણ 11 અને...

કેન્દ્રની મહત્વની જાહેરાત, વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરિક્ષા ઘોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં કરવો પડશે અભ્યાસ

દિલ્હીઃ બોર્ડની પરિક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે  શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. 

 જો કે વઘુમાં એમ પણ જણાવાયું છે કે વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. મહત્વની માહિતી એ છે કે  કેન્દ્રએ બુધવારે નવી શિક્ષણ નીતિ (NEP) ના અનુરૂપ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે.

આસહીત શિક્ષણ મંત્રાલય દ્વારા નવા અભ્યાસક્રમ માળખાની જાહેરાત કરવામાં આવી હતી.નવી શિક્ષણ નીતિ (NEP) અનુસાર, નવા અભ્યાસક્રમની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ બ્લુપ્રિન્ટ હેઠળ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછી એક ભારતીય હોવી જોઈએ.

 શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ક્સ જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ, બોર્ડ પરીક્ષાઓ મહિનાના કોચિંગ અને રોટ લર્નિંગ સામે વિદ્યાર્થીઓની સમજણ અને પ્રાવીણ્યના સ્તરનું મૂલ્યાંકન કરશે.

આ સાથે જ ધોરણ 11 અને 12માં વિષયોની પસંદગી ‘સ્ટ્રીમ’ સુધી મર્યાદિત રહેશે નહીં. તેના બદલે, વિદ્યાર્થીઓને તેમની પસંદગીનો વિષય પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા મુજબ, શાળા બોર્ડ યોગ્ય સમયે ‘ઓન ડિમાન્ડ’ પરીક્ષાઓ ઓફર કરવાની ક્ષમતા વિકસાવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments