1. Home
  2. ગુજરાતી
  3. એક સાથે આઝાદ થયેલા ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વિપરીત, ભારત આર્થિક રીતે મજબુત બન્યું જ્યારે પાકિસ્તાન કંગાળ બન્યું
એક સાથે આઝાદ થયેલા ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વિપરીત, ભારત આર્થિક રીતે મજબુત બન્યું જ્યારે પાકિસ્તાન કંગાળ બન્યું

એક સાથે આઝાદ થયેલા ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વિપરીત, ભારત આર્થિક રીતે મજબુત બન્યું જ્યારે પાકિસ્તાન કંગાળ બન્યું

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન 75 વર્ષ પહેલા એક સાથે આઝાદ થયાં હતા. ભારતે વિકાસનો માર્ગ અપનાવ્યો હતો જ્યારે બીજી તરફ પાકિસ્તાને ભારતને બરબાદ કરવાની મેલી મુરાદ સાથે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું. પાકિસ્તાનમાં હાલ અનેક ખુંખાર આતંકવાદીઓ અને આતંકી તાલીમ કેમ્પ ધમધમી રહ્યાં છે. આ આતંકવાદીઓને ભારતમાં મોકલીને આતંકી કૃત્યોને અજામ આપવામાં આવતો હતો. ભારત સરકારે આતંકવાદ સામે અભિયાન છેડ્યું છે અને આતંકવાદને નાથવામાં કેટલાક અંશે ભારતને સફળતા મળી છે. બીજી તરફ પોતાને ઈસ્લામિક દેશ તરીકે દુનિયામાં પ્રસ્થાપિત કરતું પાકિસ્તાનની સામે તેમને જ પાળેલા આતંકવાદીઓ મોરચો ખોલ્યો છે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કોઈ દેશ મદદ કરવા તૈયાર નથી. જ્યારે ભારતની શાખ દુનિયામાં વધી છે.

કટ્ટરવાદ વધારીને અને આતંકવાદને આશ્રય આપીને કોઈ દેશ આગળ વધી શકે નહીં. આનું સીધું ઉદાહરણ પાકિસ્તાનથી આપી શકાય. ભારત અને પાકિસ્તાન બંને દેશ સાથે આઝાદ થયા. બંનેએ સાથે મળીને ગુલામીમાંથી મુક્તિ મેળવી હતી. આવી સ્થિતિમાં લગભગ 75 વર્ષ પછી બંને દેશોની સરખામણી કરીએ તો ભારત કેટલું આગળ વધી ગયું છે તે અંગે કોઈ દલીલ કરવાની જરૂર નથી. તેની પાછળ ઘણા કારણો છે.

દેશની જનતા જ રાષ્ટ્રની પ્રગતિ લાવી શકે છે અને આમાં સરકારની સક્રિય ભૂમિકા હોય છે. અહીં ભારતની તમામ સરકારો અને લોકોએ મળીને દેશને વિશ્વમાં આગળ ધપાવી દીધો. આવી સ્થિતિમાં, પાકિસ્તાન આટલું પાછળ કેમ રહ્યું તે પણ જાણવું જરૂરી છે. પાકિસ્તાને આટલા વર્ષોમાં કોઈ પ્રગતિ કરી નથી, પરંતુ વધુ લોકોને ગરીબી તરફ લઈ ગયા છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કેમ ખાડે પહોંચી? તેની પાછળ રાજકીય અસ્થિરતા અને સરકારમાં વારંવાર ફેરફાર મુખ્ય કારણ છે. આજે આ દેશ યુદ્ધ વિના પણ યુદ્ધમાં પડી ગયો છે.

એક અહેવાલ મુજબ, જેહાદના નામે આતંકવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવું અને તે લોકોને આશ્રય આપવાથી લોકોને લાંબા ગાળે નુકસાન થાય છે કારણ કે વિકાસને બદલે લોકો યુદ્ધ અથવા પ્રોક્સી વોર ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. પાકિસ્તાનનું અર્થતંત્ર નાદારી તરફ જઈ રહ્યું છે. શરીફ સરકારે IMFને લોન માટે વિનંતી કરી છે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે, જો IMF લોન આપે છે તો પાકિસ્તાનને મનાવવા માટે કઈ શરતો બનાવવામાં આવશે.

IMFની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. પાકિસ્તાન સરકારને આશા છે કે તેને IMF પાસેથી લોન મળશે અને તે લગભગ નિશ્ચિત છે. IMFએ શરીફ સરકાર સામે કેટલીક શરતો મૂકી છે. જો શરીફ સરકાર તેમને સ્વીકારે છે, તો તે પછી લોન મળી જશે, પરંતુ હજી પણ પાકિસ્તાનના લોકોની માથાનો દુખાવો ઓછો થવાનો નથી કારણ કે લોન લેતા પહેલા, શરીફ સરકારે સબસિડી ઘટાડવી પડશે અને આવક વધારાના નવા સ્ત્રોતો શોધવા પડશે. આ સ્થિતિમાં મોંઘવારી વધુ વધવાની ધારણા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code