1. Home
  2. ગુજરાતી
  3. DUમાં હવે વિદ્યાર્થીઓ રામાયણ અને મહાભારતનો કરશે અભ્યાસ, હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ
DUમાં  હવે વિદ્યાર્થીઓ રામાયણ અને  મહાભારતનો કરશે  અભ્યાસ, હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ

DUમાં હવે વિદ્યાર્થીઓ રામાયણ અને મહાભારતનો કરશે અભ્યાસ, હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ

0
Social Share

દિલ્હી – હવે દેશભરની ઘણી શાળાઓ અને યુનિવર્સિટી માં ભારતની સંસ્કૃતિ અટલેકે રામાયણ અને મહાભારતના પાઠ ભણવાની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે હવે દિલ્હીમાં પણ આ સરૂઆત થઈ ચૂકી છે .

પ્રાપ્ત જાણકારી અનુસાર દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ બેચની શરૂઆત હવન-યજ્ઞથી કરવામાં આવી હતી. સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝમાં મોટા અને નાના બંને વિકલ્પોનો સમાવેશ થાઈ  છે.

આ સાથે જ વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ ગમે તે વિકલ્પ લઈ શકે છે. માઇનોરમાં, તમે કમ્પ્યુટર, કોમર્સ, પોલિટિકલ સાયન્સ જેવા વિવિધ વિષયોનો અભ્યાસ કરી શકશો. આ વિષયોમાં ગાંધી, એમ એન રાય, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, કૌટિલ્ય, મનુ સ્મૃતિને લગતા વિષયો પણ ભણાવવામાં આવશે.ડીયુ સાઉથ કેમ્પસના ડાયરેક્ટર એ જણાવ્યું કે તેમાં સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્યુનિકેશન સ્કીલના પેપર પણ છે.યુજીસીના આખા અભ્યાસક્રમમાં કેટલીક બાબતો ઉમેરીને લેવામાં આવી છે

આ રિપોર્ટ મુજબ અહીંના વિદ્યાર્થીઓ માસ્ટર્સ કરશે. તેમાં 60 સીટો છે. UG પછી આવનાર કોઈપણ વિદ્યાર્થી અહીં પ્રવેશ લઈ શકે છે. સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના સહ-નિર્દેશક એ જણાવ્યું હતું કે 60 બેઠકો માટે 500 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code