1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફની ભલામણ પર રાષ્ટ્રપતિ એ અડધી રાત્રે સંસદ ભંગ કરી
પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફની ભલામણ પર રાષ્ટ્રપતિ એ અડધી રાત્રે સંસદ ભંગ કરી

પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફની ભલામણ પર રાષ્ટ્રપતિ એ અડધી રાત્રે સંસદ ભંગ કરી

0
Social Share

દિલ્હીઃ પાકિસ્તાનમાં છએલ્લા કેટલાક સમયથી રાજકરણમાં હલટલ જોવા મળી રહી છે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે હવે સંસદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનની સંસદતેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે મોડી રાત્રે આઉટગોઇંગ વડા પ્રધાન શેહબાઝ શરીફની નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણને મંજૂરી આપી હતી.

આ નિર્ણયથી વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થયો અને આગામી સામાન્ય ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો છે. હવે પાકિસ્તાનમાં નવી ચૂંટાયેલી સરકાર રચાય ત્યાં સુધી કેરટેકર સરકાર સત્તા સંભાળશે.નીચલા ગૃહને વિસર્જન કરવા માટે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code