1. Home
  2. ગુજરાતી
  3. નિજ્જર હત્યા કેસમાં કેનેડા તરફથી હજુ સુધી માહિતી આપવામાં આવી નથીઃ ડો. એસ.જયશંકર
નિજ્જર હત્યા કેસમાં કેનેડા તરફથી હજુ સુધી માહિતી આપવામાં આવી નથીઃ ડો. એસ.જયશંકર

નિજ્જર હત્યા કેસમાં કેનેડા તરફથી હજુ સુધી માહિતી આપવામાં આવી નથીઃ ડો. એસ.જયશંકર

0
Social Share

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાની તપાસના ધમધમાટ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતને આ મામલે કેનેડા તરફથી હજુ સુધી એવું કંઈ મળ્યું નથી જેના આધારે એજન્સી તપાસ કરી શકે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, જો કેનેડાને આ મામલે કોઈ હિંસા સંબંધિત માહિતી છે તો ભારત તેની તપાસ કરવા તૈયાર છે.

પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું, “અમને કેનેડા તરફથી ક્યારેય એવું કંઈ મળ્યું નથી જે અમારી એજન્સીઓ દ્વારા તપાસ કરવા યોગ્ય હોય. મને છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસમાં થયેલા વિકાસ વિશે કોઈ માહિતી નથી.” ” તેમણે વધુમાં કહ્યું, “જ્યારે કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તેની જાણ મૂળ દેશની સરકાર અથવા દૂતાવાસને કરવામાં આવે છે.”

45 વર્ષીય હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પહેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક સપ્તાહ બાદ ચોથા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ચોથા આરોપીની ઓળખ 22 વર્ષીય અમનદીપ સિંહ તરીકે થઈ છે. તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

નિજ્જર હત્યા કેસમાં કેનેડાના પીએમ ટૂડોએ ભારત તરફ ગંભીર આરોપ લગાવ્યાં હતા. જેના પગલે ભારતે કેનેડા પાસે યોગ્ય પુરાવાની માંગણી કરી હતી. આ ઘટના બાદ ભારત અને કેનેડાના સંબંધમાં ખટાશ આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code