
ભારત દેશ સોલરની સાથે સ્પેસ ક્ષેત્રમાં પણ કરી રહ્યો છે કમાલ- PM મોદી એ ‘મન કી બાત કાર્યક્રમ’માં કરેલી વાતોના કેટલાક અંશો
- ભારત સ્પેસ સેક્ટરમાં પણ કરી રહ્યું છે કમાલ -પીએમ મોદી
- સોલર પાવરમાં પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાતનો 94મો એપિસોડ રજૂ કર્યો અને દેશની જનતાને સંબોધિત કરી આ દરમિયાન તેમણે દેશની પ્રગતિઓ ગણાવી હતી આ સાથે જ સૌર્ય ઊર્જાથી લઈને સ્પેસ સેક્ટરમાં ભારત દેશ જે રીતે આગળ વધી રહ્યો છે તેના વખાણ કર્યા હતા
મન કી બાતના 94મા એપિસોડને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે છઠ પૂજા, સૌર ઉર્જા, પર્યાવરણ સંરક્ષણ અને વિદ્યાર્થી શક્તિ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મનકી બાત કાર્યક્મની કેટલીક વાતો
આજે દેશના ઘણા ભાગોમાં સૂર્ય ઉપાસનાના મહાન તહેવાર છઠની ઉજવણી કરવામાં આવી રહી છે. છઠ પર્વનો ભાગ બનવા માટે લાખો ભક્તો તેમના ગામો, તેમના ઘરો, તેમના પરિવારો સુધી પહોંચ્યા છે. હું પ્રાર્થના કરું છું કે છઠ મૈયા દરેકને સમૃદ્ધિ અને કલ્યાણ આપે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે 15 નવેમ્બરે આપણો દેશ આદિવાસી ગૌરવ દિવસ ઉજવશે. તેમણે કહ્યું કે સ્પેસ સેક્ટરને ભારતના યુવાનો માટે ખોલવામાં આવ્યા બાદ તેમાં ક્રાંતિકારી ફેરફારો આવવા લાગ્યા છે.
મોઢેરાના સૂર્યમંદિરનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે થોડા દિવસો પહેલા, તમે દેશના પ્રથમ સૂર્ય ગામ – ગુજરાતના મોઢેરા વિશે ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્યા ગામના મોટાભાગના ઘરોમાં સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન થવા લાગી છે. હવે ત્યાં ઘણા ઘરોમાં મહિનાના અંતે વીજળીનું બિલ નથી મળતું, તેના બદલે, વીજળીથી કમાણીનો ચેક આવી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે આ લોન્ચિંગ સાથે, ભારત વૈશ્વિક વ્યાપારી બજારમાં એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે, જેણે ભારત માટે અવકાશ ક્ષેત્રમાં નવી તકો ખોલી છે.આથી વધુમાં તેમણે ભારતની પ્રગતિ પર વાત કરતા કહ્યું કે આપણો દેશ સોલર સેક્ટરની સાથે અવકાશ ક્ષેત્રે પણ અજાયબીઓ કરી રહ્યો છે. એક સમય હતો, જ્યારે ભારતે ક્રાયોજેનિક રોકેટ ટેક્નોલોજીનો ઇનકાર કર્યો હતો, પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ ન માત્ર સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી હતી, પરંતુ તેની મદદથી આજે તેઓ ડઝનબંધ ઉપગ્રહો અવકાશમાં મોકલી રહ્યા છે.
આ સહીત નેશનલ ગેમ્સ વિશે વાત કરતા કહ્યું કે અમદાવાદમાં નેશનલ ગેમ્સ દરમિયાન જે રીતે કલા, રમતગમત અને સંસ્કૃતિ એકસાથે આવી, તે આનંદથી ભરેલી હતી. તમને જાણીને આનંદ થશે કે ભારતમાં યોજાયેલી સૌથી મોટી નેશનલ ગેમ્સ હતી.
31મી ઑક્ટોબર એ રાષ્ટ્રીય એકતા દિવસ છે, સરદાર વલ્લભભાઈ પટેલ જીની જન્મજયંતિનો પવિત્ર અવસર. આ દિવસે દેશના ખૂણે-ખૂણે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. આ દોડ દેશમાં એકતાના દોરને મજબૂત બનાવે છે, આપણા યુવાનોને પ્રેરણા આપે છે.
આ સાથે જ સ્ટૂડન્ટ પાવર પુર બોલતા કહ્યું કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થી શક્તિની વાત આવે છે, તો તેને વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ સાથે જોડીને તેનું કાર્યક્ષેત્ર સંકુચિત કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી શક્તિનો વ્યાપ ઘણો મોટો છે, વિદ્યાર્થી શક્તિ જ ભારતને શક્તિશાળી બનાવવાનો આધાર છે.