1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMCમાં પ્રોફેશલ ટેક્સની બાકી રકમ ડિસેમ્બરના અંત સુધીમાં ભરનારાને વ્યાજ અને દંડમાંથી મુક્તિ અપાશે
AMCમાં પ્રોફેશલ ટેક્સની બાકી રકમ ડિસેમ્બરના અંત સુધીમાં ભરનારાને વ્યાજ અને દંડમાંથી મુક્તિ અપાશે

AMCમાં પ્રોફેશલ ટેક્સની બાકી રકમ ડિસેમ્બરના અંત સુધીમાં ભરનારાને વ્યાજ અને દંડમાંથી મુક્તિ અપાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે પ્રોફેશનલ ટેક્સની રકમ બાકી ભરનારાને પણ વ્યાજ અનં દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં વધારો થશે. ઘણા બધા ઔદ્યોગિક એકમો અને વેપારીઓ કોરોના કાળના સમયથી પ્રોફેશલ ટેક્સ ભરી શક્યા નથી. તેથી  યોજનાથી તેમને લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં જે પ્રોફેશનલ ટેક્સ ધારકોને ટેક્સની રકમ ભરવાની બાકી છે તેઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં જે પણ પ્રોફેશનલ ટેક્સ ધારકોને તેમનો ટેક્સ બાકી છે તેઓને કોઈ પણ પ્રકારનું વ્યાજ કે શિક્ષાત્મક કાર્યવાહી કર્યા વગર માત્ર જે ટેક્સની રકમ જ ભરવાની રહેશે. 31 ડિસેમ્બર 2022 સુધી આ યોજના ચાલુ રહેશે, જેથી જે પ્રોફેશનલ ટેક્સ ધારકોને ટેક્સ ભરવાનો બાકી છે તેઓ ઝડપથી ભરી દે તેવી અપીલ કરવામાં આવી છે. બાકી પ્રોફેશનલ ટેક્સ ધરાવતા એક લાખ જેટલા ધારકો આ યોજનાનો લાભ લઈ શકશે.

મ્યુનિ.ના રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ટેક્સની વસૂલાત અને તેના પડતર કેસોના નિકાલ માટે વ્યવસાય વેરા સમાધાન યોજના લાગુ કરવામાં આવી છે. વ્યવસાય કરતી સંસ્થા (PEC) પાસે વ્યવસાયવેરો અને કર્મચારીઓના (PRC) વેતનમાંથી વ્યવસાયવેરો કાપવામાં આવે છે.  જેમાં વ્યાજ અને દંડ લેવામાં આવશે નહી. હાલમાં વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય અને હજુ સુધી નોંધણી કરાવેલ નથી. એવા વેપારીઓ માટે આ અભુતપુર્વ યોજના છે. અગાઉના સમયમાં વ્યવસાયવેરા રાહત યોજનામાં બિન નોંધાયેલ સંસ્થાઓને તેઓની કોઇ પણ જુની ભરવાપાત્ર રકમમાં તેઓને વ્યાજ માફી આપવામાં આવેલી ન હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિન નોંધાયેલ વ્યવસાયીઓ માટે એનરોલમેન્ટ કરાવવા પાત્ર હોય, પરંતુ હજુ સુધી નોંધણી કરાવેલી નથી તેવી વ્યક્તિ કે સંસ્થા આ યોજનાના સમયગાળા દરમિયાન વ્યવસાયવેરા નંબર મેળવવા વ્યાજ, દંડ તેમજ શિક્ષાત્મક નિયમોનુસાર અરજી કરે અને ઉક્ત સમયગાળા દરમિયાન કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં નિયત દરે ભરવાપાત્ર રકમ ચુકવે તો તરત જ એન્ડોઇમેન્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે અને વ્યાજ, દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. સંસ્થા કે જેઓએ વ્યવસાયવેરા હેઠળ તેઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર નોંધણી દાખલો મેળવેલો નથી અને વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલો નથી કે ડેઝીગ્નેટેડ ઓથોરીટીને વ્યાજ, દંડ તેમજ શિક્ષાત્મક આવો વેરો જમા કરાવેલ નથી. તેઓ આ યોજનાના કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં સમયગાળા દરમિયાન રજીસ્ટ્રેશન મેળવવા માટે અરજી કરે આવશે તો રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે અને વ્યાજ, દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code