1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ

0
Social Share
  • ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર
  • પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો
  • હુમલામાં બે પોલીસકર્મી થયા ઘાયલ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર તેમનું નાપાક ષડયંત્રને  અંજામ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ CRPF જવાનોને આ જઘન્ય ષડયંત્રનું નિશાન બનાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

જો કે, સદનસીબે આ હુમલામાં સુરક્ષા દળોને કોઈ ગંભીર ઈજા થઈ નથી.સૂત્રોએ જણાવ્યા મુજબ,CRPF અને પોલીસની સંયુક્ત ટીમ પુલવામામાં પોલીસ ચોકી પાસે તૈનાત હતી. આ દરમિયાન ઘુસેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં કડકાઈ વધારી દીધી છે.

જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી એક IED નિષ્ણાત હતો. આ માહિતી પોલીસે આપી હતી.શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અંસાર ગઝવત-ઉલ-હિંદના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય અનંતનાગના શ્રીગુફવારા વિસ્તારના કલાનમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code