1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા
કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા

કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા

0
Social Share

બેંગલુરુ: કર્ણાટકના PUમાં હિજાબના મુદ્દે પ્રેકટીકલ પરીક્ષાઓ છોડી હતી તેમને બીજી તક આપવામાં આવશે નહીં. તેનો નિર્ણય કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થિનીઓએ પ્રેક્ટિકલનો બહિષ્કાર કર્યો હતો. એવા સંકેતો હતા કે આ વિદ્યાર્થિનીઓને ફરીથી હાજર થવાની તક આપવામાં આવશે, પરંતુ સરકારે આ વિદ્યાર્થીઓ માટેના ફરીથી પરીક્ષાના વિકલ્પને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ બોર્ડની પરીક્ષાનો એક ભાગ હતી, હવે પરીક્ષા છોડી દેનાર વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું કે આપણે શક્યતાને પણ કેવી રીતે ધ્યાનમાં લઈ શકીએ? હાઈકોર્ટના વચગાળાના આદેશ પછી પણ પ્રેક્ટિકલનો બહિષ્કાર કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં હિજાબ પહેરવા ન દેવાની છૂટ આપીએ તો અન્ય કોઈ વિદ્યાર્થી અન્ય કોઈ કારણ દર્શાવીને આવીને બીજી તક માંગશે. આ અશકય છે.

PU પરીક્ષામાં, પ્રેક્ટિકલમાં 30 ગુણ અને થિયરી 70 હોય છે, હિજાબના વિવાદમાં જે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા છોડી દીધી છે તેઓ હવે તેમના સંપૂર્ણ 30 ગુણ ગુમાવશે. જો કે, જે વિદ્યાર્થિનીઓ તેમના શૈક્ષણિક સત્રને બચાવવા માંગે છે તે 70 ગુણની લેખિત પરીક્ષામાં બેસી શકે છે અને વિષયમાં પાસ થઈ શકે છે.

કાયદા પ્રધાન જેસી મધુસ્વામીએ મૈસૂરમાં કહ્યું, ‘અમે પહેલાથી જ કહ્યું છે કે કોઈએ કોર્ટના આદેશનો અનાદર કરવો જોઈએ નહીં. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે બીજી તક ન આપવાના અમારા વલણમાં કોઈ ફેરફાર થયો નથી. મંત્રી નાગેશે કહ્યું કે સરકાર 8, 9 અને 11માં ધોરણમાં શાળા સ્તરે લેવાતી પ્રાથમિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બીજી તક આપવાનું વિચારી શકે છે. જો કે, અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે છેડછાડ કરી શકતા નથી.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code