1. Home
  2. ગુજરાતી
  3. અહીં જાણો શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, કયા દિવસે કયા દેવીની થશે પૂજા અને કયા દિવસે થશે કન્યા પૂજા
અહીં જાણો શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, કયા દિવસે કયા દેવીની થશે પૂજા અને કયા દિવસે થશે કન્યા પૂજા

અહીં જાણો શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, કયા દિવસે કયા દેવીની થશે પૂજા અને કયા દિવસે થશે કન્યા પૂજા

0
Social Share

મા દુર્ગાના ભક્તો નવરાત્રિની આતુરતાથી રાહ જુએ છે અને આ રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. નવરાત્રિ દરમિયાન મંદિરોથી લઈને ઘરો સુધી માં અંબાની ચારેય બાજુ જય જયકાર સંભળાય છે. મા જગદંબાના ઉપાસકો સંપૂર્ણ 9 દિવસ ઉપવાસ કરે છે અને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે. એવું કહેવાય છે કે આ 9 દિવસો દરમિયાન દેવી માતા પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો જાણીએ શારદીય નવરાત્રીના પવિત્ર દિવસો ક્યારે શરૂ થઈ રહ્યા છે.ત્યારે આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ લેખમાં મળશે.

શારદીય નવરાત્રી ક્યારે શરૂ થાય છે?

પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે જેમાં ઘટસ્થાપનનો શુભ સમય સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે અને 23 ઓક્ટોબર 2023ના રોજ નવરાત્રી સમાપ્ત થશે. જ્યારે દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

પ્રથમ દિવસ – માતા શૈલપુત્રી

બીજો દિવસ – માતા બ્રહ્મચારિણી

ત્રીજો દિવસ – મા ચંદ્રઘંટા

ચોથો દિવસ – મા કુષ્માંડા

પાંચમો દિવસ – માતા સ્કંદમાતા

છઠ્ઠો દિવસ – મા કાત્યાયની

સાતમો દિવસ – મા કાલરાત્રી

અષ્ટમી (આઠમો) દિવસ – મા મહાગૌરી

નવમો દિવસ – મા સિદ્ધિદાત્રી

શારદીય નવરાત્રી કન્યા પૂજા તિથિ

આ વર્ષે શારદીય નવરાત્રિની દુર્ગા અષ્ટમી 22 ઓક્ટોબર 2023ના રોજ છે. આ દિવસે કન્યા પૂજા અને દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code