1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 52 રખડતાં ઢોર પકડાયાં, 16,400 કિલો ઘાસચારો જપ્ત કરાયો
અમદાવાદમાં 52 રખડતાં ઢોર પકડાયાં, 16,400 કિલો ઘાસચારો જપ્ત કરાયો

અમદાવાદમાં 52 રખડતાં ઢોર પકડાયાં, 16,400 કિલો ઘાસચારો જપ્ત કરાયો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા રખડતા ઢોર અંગે નવી પોલીસી બનાવ્યા બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. આ મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ ફરીવાર મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિની CNCD વિભાગ દ્વારા દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડવા સાથે ઘાસચારાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે. આમ છતાં હજુ પણ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નથી મળી રહી છે. બુધવારે પણ આ પૉલિસીના અમલવારી અન્વયે શહેરના 7 ઝોનમાં આવેલા વિવિધ વિસ્તારોમાંથી 52 જેટલા પશુઓને પકડવા સાથે 16,400 કિલો ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરના બાપુનગર, ઇસનપુર, વટવા, અમરાઇવાડી, રામાપીર નો ટેકરો, અખબારનગર, રાણીપ, શાહપુર, બોડકદેવ, સાયન્સસિટી, એસ.જી.હાઇવે, નોબલનગર, નરોડા દહેગામરોડ,લાંભા, મોટેરા, ગિરધરનગર,સરખેજ, કુબેરનગર, સરદારનગર, અસલાલી, મનમોહન ચારરસ્તા, ઉત્તમનગર, સાબરમતી, કલાપીનગર, સિવિલ, હાથી સર્કલ,શાહીબાગ, શીલજ, બોડકદેવ, મકરબા, વેજલપુર, શ્યામલ, પ્રહલાદનગર, એરપોર્ટ, સોલા, લાલદરવાજા, જોધપુર ટેકરા, ઓગણજ, દાણાપીઠ, મોહમ્દપુરા, રાયપુર, વિટનગર, ઓઢવ, સરસપુર, મણીનગર, દાણીલીમડા, શાહઆલમ, પાલડી, અંજલી, માણેકબાગ, ગીતામંદિર, જમાલપુર, કેકેનગ૨, ગોતા, નિકોલ, સાઉથબોપલ, નહેરુનગર, ઇદગાહ, ચિલોડા, જશોદા, ભાડજ, બાપુનગર, મેઘાણીનગર, ઠક્કરનગર, ખોખરા, હાટકેશ્વર, સિંધુભવન, ક્રિષ્ણધામ, સૈજપુર, સોનીની ચાલી, રામોલ, મોતીપુરા તથા ચાંદખેડા આ વિસ્તારમાંથી રખડતાં ઢોર પકડવામાં આવ્યા હતા.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે,  52 રખડતા ઢોર પૈકી સૌથી વધુ 15 પશુઓ ઉત્તર ઝોનમાંથી પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાંથી 9, પશ્ચિમ ઝોનમાંથી 8, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી 7, દક્ષિણ ઝોનમાંથી 5 તેમજ મધ્ય ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી 4-4 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. આ સાથે શહેરના સાતેય ઝોનમાંથી મળીને કુલ 16,400 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત  શહેરનાં નિકોલ વિસ્તારમાં બળીયાદેવનો ટેકરો, મનમોહન પોલીસ ચોકી સામે પશુ પકડવાની કામગીરી અન્વયે પશુ પકડતી વખતે પશુમાલિકો દ્વારા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરવા બાબતે સીએનસીડી ખાતા દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં રાજુભાઇ દુવાભાઇ રબારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આવી જ રીતે ખોખરા પોલીસ સ્ટેશનમાં કાળુભાઇ રબારી વિરુદ્ધ અને અસલાલી પોલીસ સ્ટેશન માં ગટાભાઇ લધરાભાઇ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code