1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા 32 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા
અમદાવાદમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા 32 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા 32 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

0
Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા અનેક હિન્દુ પરિવારો વસવાટ કરે છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા આજે રવિવારે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર અને જિલ્લામાં પાકિસ્તાનથી 7 વર્ષ પહેલા હિજરત કરીને આવેલા હિન્દુ પરિવારોએ ભારતની નાગરિકતા મેળવવા માટે કલેક્ટરને અરજી કરી હતી. રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હવે ખૂબ જ ટૂંકા ગાળામાં બીજા 18 વ્યક્તિઓને પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં 900 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય બાબત છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતી ધરાવતા( હિંદુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. પાકિસ્તાનમાંથી દર વર્ષે ઘણાબધા હિન્દુ પરિવારો હિજરત કરીને ભારત આવે છે. સરકાર દ્વારા હિન્દુ પરિવારોને નાગરિક્તા આપવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code