1. Home
  2. ગુજરાતી
  3. જીવન ખૂબ જ કિંમતી છે અને જીવનના દરેક સેકન્ડનો ઉપયોગ કરવા માંગુ છું : સુપરસ્ટાર અજિત કુમાર
જીવન ખૂબ જ કિંમતી છે અને જીવનના દરેક સેકન્ડનો ઉપયોગ કરવા માંગુ છું : સુપરસ્ટાર અજિત કુમાર

જીવન ખૂબ જ કિંમતી છે અને જીવનના દરેક સેકન્ડનો ઉપયોગ કરવા માંગુ છું : સુપરસ્ટાર અજિત કુમાર

0
Social Share

તમિલ સુપરસ્ટાર અજિત કુમારે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. દેશ અને દુનિયાભરમાં તેમના કરોડો ચાહકો છે. તાજેતરમાં જ અભિનેતાને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે, તેમણે ફિલ્મ ઉદ્યોગ છોડવાની શક્યતા વિશે વાત કરી છે. એક વાતચીત દરમિયાન, સુપરસ્ટાર અજિતને ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ અંગે અભિનેતાએ કહ્યું, “તમે ક્યારેય જાણતા નથી! તે મારા નિવૃત્તિ લેવાની યોજના વિશે નથી, મને નિવૃત્તિ લેવાની ફરજ પડી શકે છે. હું કોઈ પણ વસ્તુને હળવાશથી લેવા માંગતો નથી. લોકો જીવન વિશે ફરિયાદ કરે છે. જાગવું અને જીવંત અનુભવવું એ પોતે જ એક આશીર્વાદ છે. હું અહીં દાર્શનિક નથી બની રહ્યો. હું સર્જરી અને ઇજાઓમાંથી પસાર થયો છું. અમે સમજીએ છીએ કે જીવન ખૂબ જ કિંમતી છે. હું મારા જીવનના દરેક સેકન્ડનો ઉપયોગ કરવા માંગુ છું. હું તેનો મહત્તમ ઉપયોગ કરવા માંગુ છું.”

નમ્રતા અને સરળ સ્વભાવ માટે જાણીતા આ અભિનેતાએ જીવન પ્રત્યેના પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતો. અભિનેતાએ કહ્યું, “જ્યારે મારો સમય આવે છે, ત્યારે હું ઇચ્છું છું કે મારા નિર્માતાઓ વિચારે કે, ‘મેં આ આત્માને જીવન આપ્યું અને તેણે તેનો ઉપયોગ કર્યો, તેના દરેક સેકન્ડનો સકારાત્મક રીતે ઉપયોગ કર્યો. આ રીતે હું જીવનને ઉત્સાહથી જીવવા માંગુ છું, અને બિલકુલ સમય બગાડવા નથી માંગતો.”

પોતાની અભિનય યાત્રા વિશે વાત કરતા અજિતે કહ્યું, “અભિનય મારા મનમાં ક્યારેય નહોતો. હું આકસ્મિક રીતે અભિનેતા બન્યો. શાળા પછી, મેં લગભગ છ મહિના માટે એક ઓટો કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. હું 18 વર્ષનો હતો જ્યારે મેં મોટરસાઇકલ રેસિંગ શરૂ કરી… પછી, જ્યારે મને કંઈક સમજાયું, ત્યારે મેં પ્રિન્ટ જાહેરાતો અને ટીવી જાહેરાતો કરવાનું શરૂ કર્યું.”

અજિતે 1990માં એન વીદુ એન કનાવર સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેમણે વીરમ, બિલ્લા અને માનકથા જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્રણ દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં, તેમને 28 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક, પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન તેમની પત્ની શાલિની અને તેમના બાળકો હાજર હતા, જે પરિવાર માટે ગર્વની ક્ષણ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code