
7 દાયકાથી પણ જૂની લંડનની ઈન્ડિયા ક્લબ હવે આવતા મહિનામાં થઈ જશે બંઘ, જેનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું રહ્યું છે યોગદાન
દિલ્હીઃ- લંડનનો ઈતિહાસ ભારત સાથે જોડાયેલો છે. અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું અને તેઓને અહીથઈ ભગાડવામાં ભારત સફળ પણ રહ્યું ,જો કે લંડનમાં ઘણા એવા સ્થળઓ છે જે ભારતની .ાદો સાથે જોડાયેલા છે જેમાંનું એક છે ઈન્ડિયા ક્લબ જો કે હવે આ ક્લબ બંઘ થવાની તૈયારીમાં છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 7 દાયકા કરતા પણ વઘુ જુની લંડનની ઈન્ડિયા ક્લબ હવે કાયમ માટે બંધ થવા જઈ રહી છે. આ ક્લબ ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રારંભિક મૂળ માટે કૃષ્ણ મેનન સહિતના રાષ્ટ્રવાદીઓના કેન્દ્ર તરીકે જાણીતી હતી. હવે લાંબી લડાઈ હાર્યા બાદ 17મી સપ્ટેમ્બરે તે હંમેશ માટે બંધ થઈ જશે. ક્લબના માલિક યાદગાર માર્કર અને તેમની પુત્રી ફિરોઝા છેલ્લા 26 વર્ષથી આ ઐતિહાસિક સંસ્થાને ચલાવી રહ્યા છે.
આ બાબતની વઘુ માહિતી પ્રમાણે થોડા વર્ષો પહેલા સેવ ઈન્ડિયા ક્લબ અભિયાન શરૂ કર્યું હતું. હવે તેઓએ આ અભિયાન બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘ખૂબ જ ભારે હૃદય સાથે, અમે ઈન્ડિયા ક્લબને બંધ કરવાની જાહેરાત કરી રહ્યા છીએ, જેનો છેલ્લો દિવસ 17 સપ્ટેમ્બરે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે ત્યાર બાદ તે કાયમ માટે બંઘ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ક્લબ બ્રિટનની સૌથી શરૂઆતની ભારતીય રેસ્ટોરન્ટ્સમાંની એક, ઈન્ડિયા ક્લબ ભારતની આઝાદી અને ભાગલા પછી ભારતીય ઉપખંડના પ્રથમ પેઢીના વસાહતીઓ માટે ઝડપથી ઘરથી દૂર ઘર બની ગયું. તે ઈન્ડો-બ્રિટિશ જૂથો માટેનું સમુદાય કેન્દ્ર પણ હતું. આ રેસ્ટોરન્ટમાં 1946 થી 26 રૂમ છે અને તમામ સ્ટ્રેન્ડ કોન્ટિનેન્ટલ હોટેલના પહેલા માળે સ્થિત છે.