1. Home
  2. ગુજરાતી
  3. હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ
હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ

હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ

0
Social Share

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ઉભા થયેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલાની એન્ટ્રી થઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, મુસ્લિમ યુવતીઓને અભ્યાસ અને હિજાબ વચ્ચે એકને પસંદ કરવા માટે મજબુર કરવામાં આવી રહી છે.

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલા યુસુફજઈએ ટ્વીટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોલેજમાં અમને અભ્યાસ અને હિજાબ વચ્ચે એકને પસંદ કરવા માટે મજબુર કરવામાં આવી રહ્યાં છે. હિજાબમાં છોકરીઓને સ્કૂલ જતા રોકવી ભયાવહ છે. વધારે કે ઓછા કપડા રહેરવા મુદ્દે એક માનસિકતા સેટ છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયા જતા અટકાવવી જોઈએ.

કર્ણાટકના હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન વિવિધ સ્થળો ઉપર ઉભા થયેલા વિવાદ વચ્ચે સરકારને 3 દિવસ સ્કૂલ-કોલેજ બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ અંગે અધિકારીઓને સોશિયલ મીડિયા મારફતે જાણ કરી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code