1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ, પેરા મિલ્ટ્રી ફોર્સ પણ જોડાઈ
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ, પેરા મિલ્ટ્રી ફોર્સ પણ જોડાઈ

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ, પેરા મિલ્ટ્રી ફોર્સ પણ જોડાઈ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને પરંપરાગત જગન્નાથજીના મંદિરથી નકળતી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અષાઢી બીજને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે રથોત્સવને લઈ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા પણ રથયાત્રા દરમિયાન સઘન બંદાબસ્તનું આયોજન કરાયું છે. રથયાત્રા દરમિયાન કોમી-એખલાસ અને ભાઈચારો જળવાય રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. દરમિયાન રથયાત્રાના રૂટ્સ પર પોલીસનું મેગા રિહર્સલ કરાયું હતું. જેમાં પેરા મિલ્ટ્રી ફોર્સ પણ જોડાઈ હતી. શનિવારે સવારે 7:00 વાગ્યાથી શહેર પોલીસ પેરામિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ ટીમો રથયાત્રાના રૂટ પર નીકળી હતી. બીજી તરફ આયોજનમાં કોઈપણ કચાશ ન રહી જાય એ માટે આ વખતે પોલીસે ટેક્નોલોજીનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે.

અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નિકળે છે. અષાઢી બીજને હવે બે દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાને શહેરીજનોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે. એ માટેનું એક મેગા રિહર્સલ યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે સાત વાગે પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો કાફલો રથયાત્રા રોડ પર નીકળ્યો હતો. સવારે સાત વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે બીજી રથયાત્રા જ નીકળી હોય, એ પ્રમાણે નીકળ્યા હતા અને જેના કારણે લોકોમાં પણ એક સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું રિહર્સલ સાડાદસની આસપાસ નિજ મંદિર ખાતે પૂર્ણ થયું હતું. રસ્તામાં આવતા તમામ ખૂણા દબાણ અને અલગ અલગ વ્યવસ્થા પણ છેલ્લી નજર નાખી હોવાનું તેમજ પોલીસનું કામ માઈક્રો લેવલની પૂર્ણ થયું છે. બીજી તરફ સવારે રિહર્સલ દરમિયાન વરસાદ પણ હતો. તેમ છતાં પોલીસ પોતાની કામગીરી આગળ વધારી રહી હતી અને જો રથયાત્રાના દિવસે પણ વરસાદ રહે તો એ માટે પણ ખાસ તૈયારીઓ કરવાની વ્યવસ્થા ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ દ્વારા કરી દેવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતની રથયાત્રામાં પોલીસે મેન્યુઅલી સાથે ટેક્નોલોજીનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે, જેમાં આ વખતે થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વિલન્સ, એટલે કે 300થી વધુ ડ્રોન મારફત અલગ અલગ વિસ્તારમાં રાખવાનું પણ તૈયારી કરી લીધી છે. આ વખતે રથયાત્રામાં કોઈપણ સુરક્ષાના સંદર્ભે કચાશ ન રહી જાય એ માટે ગૃહ વિભાગે પણ અમદાવાદ પોલીસ સાથે સંકલન કર્યું છે. અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ અમદાવાદની રથયાત્રા માટે પોલીસ ફોર્સ લાવવામાં આવી છે. પ્રથમ વખત રથયાત્રાનો અનુભવ લેવા માટે પ્રોબેશન આઇપીએસ અને ખાસ ટ્રેનિંગ લઈ રહેલા જવાનોને પણ આ વખતે રથયાત્રામાં જોડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code