1. Home
  2. ગુજરાતી
  3. ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોનાના સંક્રમણને ફેલાવાથી અટકાવવાના વિચારમાં નવી એસઓપી જારી કરી
ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોનાના સંક્રમણને ફેલાવાથી અટકાવવાના વિચારમાં નવી એસઓપી જારી કરી

ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોનાના સંક્રમણને ફેલાવાથી અટકાવવાના વિચારમાં નવી એસઓપી જારી કરી

0
  • કોરોનાના એક-બે કેસ આવા પર કાર્યાલય બંધ રહેશે નહીં
  • કાર્યસ્થળને સેનિટાઇઝ કરવામાં આવશે
  • ગૃહ મંત્રાલયે જારી કર્યું એસઓપી

દિલ્લી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાથી અટકાવવાના વિચારમાં નવી એસઓપી જારી કરી છે. આ મુજબ જો સંક્રમણના એક કે બે કેસ આવે છે,તો પછી ફક્ત તે જ ભાગને સેનિટાઇઝ કરવાની જરૂર રહેશે,જ્યાં દર્દીની પ્રવૃત્તિઓ છેલ્લા 48 કલાકમાં રહી છે.

શનિવારે જારી કરવામાં આવેલ એસઓપી મુજબ નિયત નિયમો હેઠળ સેનિટાઇઝ કર્યા બાદ કામ શરૂ કરી શકાય છે. મંત્રાલયે કહ્યું કે, જો કાર્યસ્થળે ઘણા કેસો આવે છે,તો સંપૂર્ણ બિલ્ડિંગ અથવા બ્લોકને સેનિટાઇઝ બનાવવાની પ્રક્રિયા કરવી પડશે. અને તે પછી જ કાર્ય શરૂ કરી શકાય છે.

નવા એસઓપી મુજબ પ્રતિબંધિત ઝોનમાં રહેતા અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના ઉચ્ચ અધિકારીને આ વિશે જાણ કરવી જોઈએ અને જ્યાં સુધી ઝોન પ્રતિબંધિત ઝોનની શ્રેણીની બહાર ન આવે ત્યાં સુધી તેઓએ ઓફિસમાં ન જવું જોઈએ. ઉપરાંત,આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ હોવી જોઈએ.

તે મુજબ,પ્રતિબંધિત ઝોન હેઠળ આવનારા કાર્યાલય બંધ રહેશે. આ ઉપરાંત કોઈ લક્ષણ ન હોય તેવા કર્મચારીઓ અને મુલાકાતીઓને ઓફિસમાં આવવાની મંજૂરી હોવી જોઈએ. એસઓપીમાં પણ કોવિડ -19 બચાવ પગલાંના કડક પાલન પર ભાર મુકવામાં આવ્યો છે.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code