1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું
અમદાવાદમાં સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું

અમદાવાદમાં સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું

0
Social Share

અમદાવાદઃ  સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ”- મહિલા સંમેલન સોમવારે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ ખાતે યોજાયુ હતુ. આ સંમેલનમાં નારીને લગતા પ્રશ્નો, તેનું સમાધાન અને દરેક નારીએ કરવા જેવા કાર્યોની ઉપર ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધ્યક્ષ ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા તથા વિચારતી વિમુક્ત જાતિ માટે કામ કરતી સંસ્થાના મિત્તલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ગણેશ વંદના, યોગ નિદર્શન અને તલવાર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ”- મહિલા સંમેલનમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો, સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન મંથન કરવામાં આવ્યું હતું. નારાયણ સંગમમાં ત્રણ સત્રો દરમિયાન ઉદ્ઘાટન, ચર્ચા સત્ર અને સમાપન સત્રનું આયોજન કરાયું હતું. જેમાં નારીને લગતા પ્રશ્નો, તેનું સમાધાન અને દરેક નારીએ કરવા જેવા કાર્યોની ઉપર ગહન ચિંતન કરવામાં આવ્યું હતું આ અવસરે આરતીબેન ઓઝાએ કહ્યું કે આજની નારી એ સ્વાભિમાનથી છલકાયેલી છે અને તે સમાજને નેતૃત્વ આપવા યોગ્ય બને તે માટે કમર કસે તેવો પ્રયાસ કરવો જોઈએ. મહિલામાં અનંત ઉર્જા છે, આવશ્યકતા છે તેને સમાજ કાર્યમાં લગાવવાની અને યોગ્ય દિશા આપવાની જરૂર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code