1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે એરપોર્ટ પર સામાનની નહીં રહે ચિંતા, મળશે બેગેજ ટ્રાન્સફર સુવિધા
હવે એરપોર્ટ પર સામાનની નહીં રહે ચિંતા, મળશે બેગેજ ટ્રાન્સફર સુવિધા

હવે એરપોર્ટ પર સામાનની નહીં રહે ચિંતા, મળશે બેગેજ ટ્રાન્સફર સુવિધા

0
Social Share
  • હવે એરપોર્ટ પર તમારા સામાનની નહીં રહે ચિંતા
  • હવે મુસાફરોને એરપોર્ટ પર બેગેજ ટ્રાન્સફરની સુવિધા મળશે
  • હાલમાં દિલ્હી અને હૈદરાબાદમાં આ સેવાનો પ્રારંભ કરાયો

નવી દિલ્હી: ઓફિસના કામકાજના હેતુસર ક્યારેક એવું બનતું હોય છે કે હવાઇ મુસાફરી કરનારા લોકોએ એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે સાથે જે સામાન હોય છે તે નડતરરૂપ થવા લાગે છે. પરંતુ હવે એરલાઇન્સ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ખાનગી એરલાઇન્સ કંપનીએ કાર્ટરપોર્ટર નામની એક કંપની સાથે ભાગીદારી કરી છે. આ કંપની એરલાઇન્સ દ્વારા મુસાફરી કરનારા ગ્રાહકોને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડશે. કંપનીએ હાલમાં દિલ્હી અને હૈદરાબાદમાં આ સેવાનો પ્રારંભ કર્યો છે અને ટૂંક સમયમાં જ મુંબઇ તેમજ બેંગલુરુમાં પણ આ સેવા શરૂ કરાશે.

શું છે આ સેવા

ઘરેથી એક્સ્ટ્રા બેગેજ લઈને મુસાફરી કરવા ઈચ્છતા કે પછી જેમને એરપોર્ટથી સીધા મીટિંગમાં જવાનું હોય તેમના માટે આ સુવિધા ખૂબ રાહતજનક બની રહેશે. તેમાં મુસાફરોનો સામાન તેમના ઘરેથી જ પિક થઈ જશે જેથી એરપોર્ટ પર ચેક-ઈન કાઉન્ટર અને સુરક્ષા તપાસમાં ઓછો સમય લાગશે. એટલું જ નહીં, મુસાફરો એરપોર્ટથી સીધા પોતાના કામસર જવા ઈચ્છતા હશે તો લગેજ તેઓ ઈચ્છશે તે ડેસ્ટિનેશન પર પહોંચાડી દેવામાં આવશે. આ કારણે મુસાફરોને બેગેજ ડિલિવરી કાઉન્ટર પર પણ રાહ નહીં જોવી પડે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code