1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના અનિયંત્રિત થતા ભારતીય રેલવેનો નિર્ણય, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે
કોરોના અનિયંત્રિત થતા ભારતીય રેલવેનો નિર્ણય, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે

કોરોના અનિયંત્રિત થતા ભારતીય રેલવેનો નિર્ણય, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે

0
Social Share
  • કોરોનાની વિકટ સ્થિતિ બાદ ભીડભાડને કાબૂમાં લેવા રેલવે વિભાગે લીધો નિર્ણય
  • કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ પ્રભાવથી બંધ કરાયું
  • લોકમાન્ય તિલક, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ

મુંબઇ: કોરોના મહામારી વિકટ બની રહી છે ત્યારે ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર અનેક સ્ટેશનો પર તત્કાળ પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રોકવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા સ્ટેશન પર ભીડભાડને કાબૂમાં લેવા માટે રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રેલવેના લોકમાન્ય તિલક, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર 9 એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક લગાવી છે.

આપને જણાવી દઇએ કે અગાઉ ભારતીય રેલવેએ ટ્રેન નંબર 82501/82502 લખનઉ-નવી દિલ્હી- લખનઉ તેજસ એક્સપ્રેસની સેવાઓને 9 એપ્રિલથી આગામી આદેશ સુધી રદ કરી છે.

કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉન બાદ IRCTC એ તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરીથી દિલ્હી-લખનઉ વચ્ચે એકવાર ફરીથી દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. લખનઉ-નવી દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ પણ સપ્તાહમાં 4 દિવસ, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડતી હતી.

હાલમાં જ ડિમાન્ડ જોતા ભારતીય રેલવેએ 4 શતાબ્દી એક્સપ્રેસ અને એક દુરન્તો એક્સપ્રેસ ટ્રેનોની સર્વિસને ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની સર્વિસ 10 એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે શરૂ કરાશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code