1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આસામ-પશ્વિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર સમાપ્ત
આસામ-પશ્વિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર સમાપ્ત

આસામ-પશ્વિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર સમાપ્ત

0
Social Share
  • પશ્વિમ બંગળમાં 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ મતદાન થવાનું છે
  • પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર સમાપ્ત
  • આસામમાં પણ 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 47 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે

નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર સમાપ્ત થઇ ગયો હતો. 30 વિધાનસભા બેઠકોમાં આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા પુરુલિયા, પંકુરા, ઝાડગમ, પૂર્વ મિદનાપૂરનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, સ્મૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો.

આસામમાં પણ 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 47 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. શનિવારે થનારા મતદાનમાં 264 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આસામના ચૂંટણી પ્રચારમાં સીટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019નો અમલનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જે પી નડ્ડાએ સીએએનો અમલ કરવાનું નિવેદન આપ્યા પછી સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં દેખાવો થયા હતાં. આ દેખાવોમાં રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠન એએએસયુએ પણ ભાગ લીધો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code