1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સમાજ માટે અસાધારણ કામ કરતા લોકોને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરો: PM મોદી
સમાજ માટે અસાધારણ કામ કરતા લોકોને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરો: PM મોદી

સમાજ માટે અસાધારણ કામ કરતા લોકોને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરો: PM મોદી

0
Social Share
  • દેશમાં અસાધારણ કામ કરતા લોકો માટે પીએમ મોદીનું નિવેદન
  • ભારતમાં ઘણા લોકો ગ્રાઉન્ડ લેવલે ખૂબ સારું કામ કરી રહ્યા છે
  • આ લોકોને ઓળખીને તેઓને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઇએ

નવી દિલ્હી: દેશમાં અનેક વિસ્તારમાં અસાધારણ અને દેશની ઉન્નતિ માટે કામ કરી રહેલા લોકો અંગે પીએમ મોદીએ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, જે લોકો દેશમાં અસાધારણ કામ કરી રહ્યા છે, તે લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરવા જોઇએ. પીએમ મોદીએ પદ્મ એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતમાં ગ્રાઉન્ડ લેવલે બહુ સારુ કામ કરનારા લોકો છે પણ તેમના માટે બહુ ઓછા લોકોને ખબર છે.

પીએમ મોદીએ સાથે સાથે પદ્મ એવોર્ડ માટેની વેબસાઈટની લિન્ક પણ શેર કરતા કહ્યુ હતુ કે, આવા લોકો અંગે આપણને વધારે જાણવા મળતુ નથી પણ તમે જો આવા લોકોને અને તેમના સમાજ માટેના કામને જાણતા હોય તો તમે તેમને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકો છે.આ માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પદ્મ પુરસ્કારના ભાગરૂપે જ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ તેમજ પદ્મ પુરસ્કાર અપાય છે. જે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મોદી સરકાર સત્તા પર આવી તે પછી સમાજમાં સારું કામ કરતા પણ ગૂમનામ રહેતા લોકોને પુરસ્કાર મળે તે માટે લોકો પાસેથી નોમિનેશન મેળવવાનું શરૂ કરાયું છે. જેના આધારે જ આ એવોર્ડ પ્રાપ્ત કરનારા લોકોની જાહેરાત કરવામાં આવતી હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code