
- પીએમ મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી
- આ દરમિયાન બનારસના વિકાસની ગાથા અંગે જણાવ્યું
- બનારસ શહેરે ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાને બીજને સંભાળીને રાખ્યા છે
નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે કાશી પ્રવાસ પર છે અને બીજા દિવસે તેઓએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન પણ કર્યું હતું. આ દરમિયાન બનારસના વિકાસ અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, અહીંના વિકાસની સકારાત્મક અસર અહીંયા આવતા પર્યટકો પર પડી રહી છે. વર્ષ 2014-2015ની તુલનાએ 2019-2020માં અહીં આવતા પર્યટકોની સંખ્યા બમણી થઇ ચૂકી છે. બનારસ શહેરે ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાને બીજને સંભાળીને રાખ્યા છે.
બનારસના વિકાસકાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ હું કાશીની મુલાકાત લઉં છું ત્યારે પ્રયાર રહે છે કે બનારસમાં થઇ રહેલા વિકાસ કાર્યોને ગતિ આપી શકું. કાલ રાત્રે 12 કલાકે મને તક પ્રાપ્ત થતા હું નીકળી પડ્યો હતો અને બનારસમાં થતા કાર્યો નિહાળ્યા હતા. ગૌદોલિયામાં જે સુંદરીકરણનું કામ થયું છે, તે ખરા અર્થમાં નિહાળવા લાયક છે. મેં મડુવાહીડમાં બનારસ રેલવે સ્ટેશન પણ જોયું. આ સ્ટેશનની કાયાકલ્પ થઇ ચૂકી છે.
આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર આપતા પીએમ મોદીએ ઉમેર્યું કે, આત્મનિર્ભર ભારત મિશન હેઠળ આજે દેશના સ્થાનિક ઉદ્યોગો, રોજગારને, ઉત્પાદનને જે તાકાત આપવામાં આવી રહી છે, સ્થાનિકને વૈશ્વિક બનાવવામાં આવી રહ્યું છે. આપણી ગાયો આપણા કિસાનો માટે દૂધનો સ્ત્રોત ઉપરાંત ગૌવંશ પ્રગતિના અન્ય આયામોમાં પણ મદદ કરે.
પીએમ મોદીએ સંબોધન દરમિયાન લોકોને દેશની ઇચ્છા સામેલ હોય તે પ્રકારનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, એવા ઠરાવો હોવા જોઇએ કે જેને આગામી બે વર્ષમાં વેગ મળવો જોઇએ. એકસાથે પૂર્ણ કરવામાં આવશે. એક સંકલ્પ હોઇ શકે છે. આપણે દેશની દીકરીઓને શિક્ષિત કરવી પડશે. તેની કુશળતા પણ વિકસિત કરવી પડશે.