કાઠમંડુઃ નેપાળમાં છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલી હિંસા હવે થોડીઘણી શમાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ Gen-Z યુવાનોના આંદોલન બાદ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યાર બાદ દેશમાં ભારે હિંસા ફાટી નીકળી હતી, જેના પગલે સેનાએ સુરક્ષાની કમાન પોતાના હાથમાં લઈ દેશભરમાં કર્ફ્યૂ જાહેર કર્યો હતો. આ વચ્ચે, અંતે Gen-Z પ્રતિનિધિઓએ નેપાળની આંતરિક સરકારના નવા વડાપ્રધાન તરીકે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નામની જાહેરાત કરી છે.
આંતરિક વડાપ્રધાન પદ માટે પોતાનું નામ જાહેર થતાં સુશીલા કાર્કીએ પ્રથમવાર પ્રતિભાવ આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે સજ્જ છે અને નેપાળી યુવાનો દ્વારા મુકાયેલા વિશ્વાસથી અભિભૂત છે. 71 વર્ષીય કાર્કીએ કહ્યું કે,”Gen-Z સમૂહે થોડા સમય માટે સરકારનું નેતૃત્વ કરવાનું વિશ્વાસ મૂક્યું છે, હું રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે તૈયાર છું.”
માહિતી મુજબ, આંતરિક સરકારના નેતૃત્વ માટે Gen-Z પ્રતિનિધિઓની એક નિર્ણાયક બેઠક આર્મી ચીફ સાથે યોજાશે। સેનામુખે આ બેઠકમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પણ આમંત્રિત કર્યા છે. હાલમાં Gen-Z આંદોલનકારીઓએ સુશીલા કાર્કીના નામને અંતિમ રૂપ આપ્યું છે, તેમ છતાં થોડો મતભેદ હજી યથાવત છે। અનુમાન છે કે આર્મી ચીફ સાથે બેઠક શરૂ થાય તે પહેલાં આંદોલનકારીઓમાં સહમતિ બનાવી લેવામાં આવશે અને ત્યારબાદ આ નિર્ણયને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવશે.
સુશીલા કાર્કી એક જાણીતી નેપાળી ન્યાયવિદ છે અને નેપાળના સુપ્રીમ કોર્ટની ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકી છે, તે આ પદે પહોંચનાર એકમાત્ર મહિલા છે.
* 11 જુલાઈ 2016ના રોજ તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયા હતા.
* 1975માં કાર્કીએ વારાણસી સ્થિત બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી રાજનીતિશાસ્ત્રમાં સ્નાતકોત્તર કર્યું હતું.
* 1978માં તેમણે નેપાળના ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.
* 1979માં કાર્કીએ વિરાટનગરમાં પોતાની વકીલાતનો પ્રારંભ કર્યો હતો.

