
ચીનની વધુ એક હિલચાલ, હવે હિંદ મહાસાગર ક્ષેત્ર માંથી બહાર આવ્યું ચીનનું ‘જાસૂસ જહાજ’
- ચીનનું જાસુસી જહાજ આવ્યું બહાર
- હિંદ મહાસાગરમાં આ જહાજ પર સૈનાની પેની નજર
દિલ્હીઃ- તારીખ 9 ડિસેમ્બરના રોજ ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય. હતી તેવા એહવાલો વિતેલા દિવસ બહાર આવ્યા હતા જો કે ચીન સાથે છેલ્લા ઘણા સમયથી તણાવભરી સ્થિતિ જોવા મળે છએ ત્યારે ચીનની અનેક હરકતો સામે આવી રહી છે હવે હિંદ મહા,ાગરમાંથી ચીનનું જાસુૂસી જહાજ બહાર આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
ચીન દરયિાઈ ક્ષેત્રેથી ભારત પર નજર રાખતું હતું તે વાત ત્યારે સાબિત થઈ જ્યારે. ચીનનું જહારજ યુઆંગ વાંગ-5 હિન્દ મહાસાગરના વિસ્તારથી બહાર નીકળ્યું. ભારતી. નૌસેના એ એ તેની જાણકારી આપી છે.
નૌસેના હને ચીન પર કડક નજર રાખી રહ્યું છે. યુઆંગ વાંગ-5 લાંબી અંતર સુધી દેખરેખ રાખતા ડ્રોન, મેટીટાઈમ પેટ્રોલ એયરક્રાફ્ટથી નજર રાખવામાં આવી રહી હતી. નૌસેના છેલ્લા ઘણા સમયથી ચીનના આ જાસૂસી જહાજ પર નજર રાખી રહ્યુ હતુ.ત્યારે વિતેલા દિવસે આ જહાજ બહાર આવ્યું હતું. જો કે સેનાની નજ ત્યારથી જ આ જહાજ પર હતી જ્યારે તે , હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશ્યું હતુ. ચીની જાસૂસી જહાજ યુઆન વાંગ-5 બેલેસ્ટિક મિસાઇલો અને સેટેલાઇટ ટ્રેકિંગ ટ્રેકિંગ સાધનોથી સજ્જ છે. આ પહેલા ચીને તેના જાસૂસી જહાજ યુઆન વાંગ-5ને શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર રાખ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ચીન તેના સેટેલાઇટ લોન્ચ પર નજર રાખવા માટે આ પ્રકારના સંશોધન સંબંધિત જહાજો રવાના કરે છે. પરંતુ આ વખતે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જહાજનો હેતુ ભારતીય મિસાઈલને ટ્રેક પણ કવાનો હોય શકે છે.જેથી ચીનની દરેક હરકત પર હાલ નજર રખાઈ રહી છે.