1. Home
  2. Tag "Indian Navy"

DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા નેવલ એન્ટી-શિપ મિસાઇલ-શોર્ટ રેન્જનું પ્રથમ સામૂહિક પરીક્ષણ

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે નૌકાદળના હેલિકોપ્ટર પ્લેટફોર્મ પરથી નેવલ એન્ટી-શિપ મિસાઇલ-શોર્ટ રેન્જ (NASM-SR) નું પ્રથમ સામૂહિક પરીક્ષણ (Maiden Salvo Launch) સફળતાપૂર્વક હાથ ધર્યું છે. આ પરીક્ષણ દરમિયાન, એક જ હેલિકોપ્ટર પરથી એક પછી એક એમ બે મિસાઇલો છોડવામાં આવી હતી, જે […]

ભારતીય નૌકાદળનું કેનેરી ટાપુઓમાં ઐતિહાસિક પ્રસ્થાન

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: ભારતીય નૌકાદળનું તાલીમ જહાજ INS સુદર્શિની 23 એપ્રિલ, 2026 ના રોજ ઓપરેશન લોકાયણ 26 ના ભાગ રૂપે તેની સફર દરમિયાન સ્પેનના લાસ પાલમાસ પહોંચ્યું. કેનેરી ટાપુઓમાં આ સ્ટોપઓવર મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભારતીય નૌકાદળના જહાજ દ્વારા દ્વીપસમૂહની પ્રથમ મુલાકાત દર્શાવે છે. આ સ્ટોપઓવરને જહાજની મહત્વાકાંક્ષી ટ્રાન્સએટલાન્ટિક સફર પહેલાં એક […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન, દરિયાઈ સુરક્ષા અને કાયદા ક્ષેત્રે ભારતનું નવું કદમ

ગાંધીનગર, 22 એપ્રિલ 2026: ગુજરાતની ધરતી પરથી ભારતના દરિયાઈ વિઝનને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘મહાસાગર એકેડેમી’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય મેરીટાઇમ યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં શરૂ થયેલી આ એકેડેમી શિક્ષણ, સંશોધન અને નીતિ નિર્ધારણ માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્રસંગ્રે મુખ્ય મહેમાન વાઇસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તાએ […]

આંતરિક સુરક્ષા બનશે મજબુત, DRDOએ ગૃહ મંત્રાલયને સોંપી AI સજ્જ પ્રજ્ઞા સેટેલાઈટ સિસ્ટમ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ભારતની આંતરિક સુરક્ષાને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. ડીઆરડીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્વદેશી ‘પ્રજ્ઞા ઈમેજિંગ સેટેલાઈટ સિસ્ટમ’ વિકસાવીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી છે. આ સિસ્ટમથી આતંકવાદ અને નક્સલવાદ વિરોધી અભિયાનોમાં ભારતને મોટી સફળતા મળશે. […]

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો ઉપર ફાયરિંગને લઈને ભારતીય નૌસેના એક્શન મોડમાં, એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્હી, 20 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટના બાદ ભારતીય નૌસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. 18 એપ્રિલના રોજ બનેલી આ ઘટના બાદ નૌસેનાએ પર્શિયન ગલ્ફમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો માટે નવી એડવાઈઝરી જારી કરી છે અને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી […]

નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ-2026ની પ્રથમ આવૃત્તિ નૌકાદળ ભવન ખાતે શરૂ

નવી દિલ્હી, 15 એપ્રિલ, 2026 – ભારતીય નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ રોજ નૌકાદળ ભવન ખાતે શરૂ થઈ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સંબોધન સાથે થયું હતું અને તેમાં વરિષ્ઠ નૌકાદળ નેતૃત્વ, આઉટસ્ટેશન ઓપરેશનલ તેમજ એરિયા કમાન્ડરો અને કમાન્ડ હેડક્વાર્ટર અને નૌકાદળ મુખ્યાલયના સ્ટાફે હાજરી આપી હતી. CNSએ ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ […]

સમુદ્રમાં ભારતની તાકાત વધી: અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ તારાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ

મુંબઈ, 3 એપ્રિલ 2026: ભારતીય નૌકાદળની તાકાતમાં શુક્રવારે વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત અત્યાધુનિક માર્ગદર્શિત-મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ ‘તારાગિરી’ને ઔપચારિક રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાના પ્રતીક સમાન આ યુદ્ધજહાજ દરિયામાં દુશ્મનોના દાંત ખાટા કરવા માટે સજ્જ છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “નૌકાદળની […]

સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ ‘દુનાગિરી’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું

નવી દિલ્હી, 31 માર્ચ 2026: દુનાગિરી (યાર્ડ 3023), નીલગિરી વર્ગ (પ્રોજેક્ટ 17A) નું પાંચમું અને આ વર્ગનું બીજું યુદ્ધ જહાજ, 30 માર્ચ 2026 ના રોજ કોલકાતાના GRSE ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. ગાર્ડન રીચ શિપબિલ્ડીંગ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે બનેલ, આ જહાજ યુદ્ધ જહાજ ડિઝાઇન અને બાંધકામમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ […]

DRDO અને ભારતીય નૌકાદળે સ્વદેશી ADC-150નું ફ્લાઇટમાં સફળ રિલીઝ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, 11 માર્ચ 2026: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે ગોવાના દરિયાકાંઠે P8I વિમાનમાંથી સ્વદેશી રીતે વિકસિત ADC-150 એર-ડ્રોપેબલ કન્ટેનરના ચાર સફળ ઇન-ફ્લાઇટ રિલીઝ પરીક્ષણો સંયુક્ત રીતે કર્યા. આ પરીક્ષણો 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026 દરમિયાન થયા હતા. આ એર-ડ્રોપેબલ કન્ટેનર 150 કિલોગ્રામ પેલોડ પહોંચાડવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મિલિટરી નર્સિંગ સર્વિસના જવાનોને હવે માજી સૈનિકો તરીકે પુનઃરોજગારના તમામ લાભ મળશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી, 2026 – Military Nursing Service personnel કેન્દ્ર સરકાર દ્વારા ‘માજી સૈનિક (કેન્દ્રીય સિવિલ સેવાઓ અને પોસ્ટ્સમાં પુનઃરોજગાર) સુધારા નિયમો ૨૦૨૬’ જાહેર કરવામાં આવ્યા છે. બંધારણની કલમ ૩૦૯ હેઠળ આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મુખ્ય ફેરફાર શું છે? અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતું કે મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના અધિકારીઓને અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code