Homerevoinewsનૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ-2026ની પ્રથમ આવૃત્તિ નૌકાદળ ભવન ખાતે શરૂ

નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ-2026ની પ્રથમ આવૃત્તિ નૌકાદળ ભવન ખાતે શરૂ

નવી દિલ્હી, 15 એપ્રિલ, 2026 – ભારતીય નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ રોજ નૌકાદળ ભવન ખાતે શરૂ થઈ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સંબોધન સાથે થયું હતું અને તેમાં વરિષ્ઠ નૌકાદળ નેતૃત્વ, આઉટસ્ટેશન ઓપરેશનલ તેમજ એરિયા કમાન્ડરો અને કમાન્ડ હેડક્વાર્ટર અને નૌકાદળ મુખ્યાલયના સ્ટાફે હાજરી આપી હતી.

CNSએ ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવામાં નૌકાદળની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. આ સિદ્ધિઓમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી, કામગીરીનો વેગ વધારવો અને આંતર-સેવા સિનર્જીમાં સુધારો કરવો સામેલ છે. સીએનએસે ‘ફ્યુચર રેડી’ ફોર્સ બનાવવા માટે લડાઇ તૈયારી પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉભરતી તકનીકોને અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન યોજાયો, અજીત ડોવાલને માનદ ડૉક્ટરેટ એનાયત

સીએનએ-એ હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેનાથી આગળ ઉભરતા ભૂ-વ્યૂહાત્મક પરિદૃશ્ય પ્રત્યે ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતાઓનો પુનરોચ્ચાર કર્યો, અને બહુપક્ષીય અને દ્વિપક્ષીય કવાયતોમાં મિત્ર વિદેશી દેશો (FFCs) સાથે સક્રિય જોડાણ દ્વારા સુસંગત અને વિશ્વસનીય અભિગમના મહત્વ પર ભાર મૂક્યો હતો.

The first edition of the Naval Commanders' Conference-2026
The first edition of the Naval Commanders’ Conference-2026

કોન્ફરન્સ દરમિયાન ચર્ચા કરાયેલા મુખ્ય ઓપરેશનલ પાસાઓમાં સંયુક્તતા, ક્ષમતા વૃદ્ધિ (જળ અને થલ સેના બંને પર) જાળવણી અને સમારકામ, બહુ-ડોમેન સુરક્ષા કવાયતો, તાલીમ, વિદેશી સહયોગ, માનવ સંસાધન (HR) મુદ્દાઓ અને નવીનતા અને સ્વદેશીકરણનો સમાવેશ થાય છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણે નૌકાદળના કમાન્ડરોને સંબોધિત કર્યા અને બદલાતા ભૂ-રાજકીય ગતિશીલતા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે નૌકાદળને આર્થિક અને તકનીકી પરિબળો સહિત યુદ્ધના ઝડપથી બદલાતા સ્વભાવને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનો આગ્રહ કર્યો હતો.

સંબંધિત લેખો

Most Popular