Site icon Revoi.in

મુંબઈ આતંકી હુમલાની વરસી, રાષ્ટ્રપતિએ આતંકવાદ સામે લડવાના વચનને ફરીથી દેશવાસીઓને યાદ કરાવ્યું

Social Share

મુંબઈઃ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 17 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26/11ના હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષા કર્મચારીઓને યાદ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને દેશવાસીઓને દરેક પ્રકારના આતંકવાદ સામે લડવાનું વચન ફરી મજબૂત કરવાની અપીલ કરી છે.

રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, “26/11 મુંબઈ આતંકી હુમલાની વરસી પર, હું દેશની સુરક્ષા માટે પ્રાણ અર્પણ કરનાર બહાદુર શહીદોને નમન કરું છું. દેશ તેમના મહાન બલીદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. આવો, આપણે તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાનું પોતાનું વચન ફરી પક્કું કરીએ અને મજબૂત, સમૃદ્ધ ભારત નિર્માણનું સંકલ્પ કરીએ.”

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના 10 આતંકીઓ 26 નવેમ્બર 2008ના રોજ દરિયા માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. લગભગ 60 કલાક ચાલેલા આ હુમલા દરમિયાન 166 લોકો શહીદ થયા હતા. જેમાં 18 સુરક્ષા કર્મચારીઓ પણ સમાવેશ થાય છે.

રાજ્યસભા સાંસદ અને 26/11 કેસના વિશેષ અભિયોજક ઉજ્જ્વલ નિકમએ વરસીના પ્રસંગે પાકિસ્તાનની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યો હતા. તેમણે કહ્યું હતું કે, “હુમલાને 17 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ દરેક ભારતીયને આ દિવસ આજે પણ યાદ છે. જ્યારે અમે પાકિસ્તાન ગયા હતા ત્યારે અમારી સરકારએ ત્યાં મુંબઈ હુમલાના જવાબદાર પર થયેલી કાર્યવાહી વિશે પૂછ્યું હતું. તેઓએ કેટલાક લોકોને પકડ્યા પણ તેમના કેસોમાં કોઈ પ્રગતિ થઈ છે કે નથી તે અંગે પાકિસ્તાને ક્યારેય કોઈ માહિતી આપી નથી.”

Exit mobile version