1. Home
  2. ગુજરાતી
  3. વિપક્ષમાં બે ભાગલાઃ કોંગ્રેસના નેતાએ મમતા બેનર્જી ઉપર કર્યાં ગંભીર આક્ષેપ
વિપક્ષમાં બે ભાગલાઃ કોંગ્રેસના નેતાએ મમતા બેનર્જી ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

વિપક્ષમાં બે ભાગલાઃ કોંગ્રેસના નેતાએ મમતા બેનર્જી ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

0
Social Share

દિલ્હીઃ ભાજપને દેશના વિવિધ રાજ્યોમાં પરાસ્ત માટે મમતા બેનર્જી અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પ્રયાસો કરી રહી છે. જો કે, વિપક્ષમાં જ બે ભાગલા પડી ગયા હોવાનું લાગી રહ્યું છે. યુપીએ જેવુ કંઈ નહીં હોવાનું નિવેદન આપનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર કોંગ્રેસના સિનિયર નેતા અધીર રંજન ચૌધરીએ ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જ કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરી રહ્યા છે અને વિપક્ષને નબળા પાડી રહ્યાનો કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,  “મમતા બેનર્જી સીધી રીતે મોદીજીની દલાલી કરી રહી છે.” તે વિપક્ષને નબળો પાડવા માટે બધું કરી રહી છે કારણ કે તેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા જરૂરી છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કેસનો સામનો કરી રહેલા તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને બચાવવા માટે આવું કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતાએ મમતા બેનર્જીના નિવેદનના જવાબમાં ટિપ્પણી કરી હતી કે તેઓ ઇચ્છે છે કે 2020 માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની જેમ 2024 માં યોજાનારી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને દેશભરમાં પરાજિત કરવામાં આવે. અગાઉ, મતતા બેનર્જીએ કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના અસ્તિત્વ પર પ્રહાર કરતા કહ્યું હતું કે “ત્યાં કોઈ યુપીએ નથી”. ત્યારથી, કોંગ્રેસ નેતા ચૌધરી પશ્ચિમ બંગાળના સીએમ પર અનેક પ્રસંગોએ હુમલો કરી ચૂક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code