1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન
રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન

રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન

0
Social Share

ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણિમ સંકુલ તેમજ સચિવાલયમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. કોરોનાને લીધે લોકોને કચેરીઓમાં પ્રવેશ માટે પાબંદી લગાવવામાં આવી હતી.પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે લોકો માટે સ્વર્ણિમ સંકુલ સહિત તમામ કચેરીઓ અનલોક કરી દીધી છે. એટલે હવે દુર દુરથી લોકો પોતાના પ્રશ્નો માટે રજુઆત કરવા આવી રહ્યા છે. ઘણીવાર સરકારના મંત્રીઓ કે અધિકારીઓ કચેરીઓમાં હાજર હોતા જ નથી તેથી અરજદારોને મુશ્કેલી પડતી હતી. આથી આજે મળેલી કેબીનેટની બેઠકમાં તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમવાર અને મંગળવાર બન્ને દિવસ ફરજિયાત હાજર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી હતી.

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સામાન્ય લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે એક નિયમ બનાવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટના તમામ મંત્રીઓને સૂચના આપી છે કે સોમ, મંગળ બધા મંત્રીઓએ અને અધિકારીઓ ફરજીયાત ગાંધીનગરમાં પોતાની ઓફિસે હાજર રહેવું. ગુજરાત સરકારના આ નિર્ણય પાછળનો મહત્વનો ઉદેશ્ય છે કે ગાંધીનગર કોઈ પણ ધારાસભ્ય અથવા બીજા લોકો પોતાની સમસ્યા લઈને આવે તો તેનું નિવારણ તાત્કાલિક થાય. બીજું કારણએ પણ છે કે જાહેર જનતાથી લઈ ધારાસભ્ય સુધી કોઈને કામ હોય તો તેને ખબર હોય કે સોમ અને મંગળવારે બધા તેની ઓફિસમાં મળશે. આ કારણથી જે ધક્કા ખાવા પડતા તે પણ બંધ થઈ જશે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code