મણીપુર માં 2 મહિલાઓ સાથે શર્મજનક કૃત્ય મામલે દેશભરમાં રોષ, 4 આરોપીની થઈ ધરપકડ
મણીપુરઃ- દેશના રાજ્ય મણીપુરમાં 3 મેના રોજથી બે આદિવાસી સમુદાયો વચ્ચે સખ્ત હિંસા ચાલી રહી છે ત્યારે અત્યાર સુધી આ હિંસા અટકવાનું નામ લઈ રહી નથી , આથી વિશેષ મણીપુરમાં બુધવારના રોજ ખૂબ જ શરરમ જનક ઘટના પણ સામે આવી હતી જેમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર હાલતમાં સરઘસ કાઢીને ફેરવવામાં આવી હતી આ ઘટના એ દેશભરમાં લોકોના હ્દય હચમચાવી મૂક્યા છે અને સતત લોકો આ ઘટના સામે રોષ ઠાલવી રહ્યા છે.
દેશવ્યાપી આક્રોશ વચ્ચે, મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગુરુવારે સાંજે કહ્યું કે મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરવાના ભયાનક કેસના સંબંધમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની કુલ ધરપકડની સંખ્યા ચાર થઈ ગઈ છે
પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસે ગુરુવારે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બે આદિવાસી મહિલાઓ અને એક પીડિતાને ખેંચીને લઈ જનાર વ્યક્તિ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરવાની આ ઘટનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ નિંદા કરી હતી દેશભરમાં આ ઘટનાને વખોળવામાં આવી રહી છે .આ સહીત ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે બુધવારે સામે આવેલા 26 સેકન્ડના વીડિયોમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકને કાંગપોકપી જિલ્લાના બી. ફાનોમ ગામમાં ભીડને સક્રિયપણે સૂચના આપતા જોઈ શકાય છે. આરોપીની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરાદાસ સિંહ તરીકે થઈ છે. ધરપકડ કરાયેલા અન્ય ત્રણ આરોપીઓની ઓળખ જાણી શકાઈ નથી.
એટલું જ નહી મુખ્યમંત્રીએ કહ્યું, “વિડીયો જોયા પછી, અમે જઘન્ય અપરાધની નિંદા કરવાનો નિર્ણય લીધો છે અને અમે તેને માનવતા વિરુદ્ધનો ગુનો કહીએ છીએ… વધુ તપાસ ચાલી રહી છે અને જે લોકો સંડોવાયેલા છે તેમની ધરપકડ કરવામાં આવશે તેના સામે કડકથી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી માટે પહાડી જિલ્લાઓમાં મેઇતેઇ સમુદાય દ્વારા આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું તે દિવસે 3 મેના રોજ મણિપુરમાં જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારે હાલ પણ આ હિંસા અટકવાનું નામ લઈ રહી નથી.
tags:
manipur